આરોગ્ય વિભાગના જે કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવી રહ્યા છે, તે જ દેવદૂતો પર કેટલાક બેશરમ લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ઈન્દોર બાદ મુરાદાબાદમાં પણ મેડિકલની ટીમ પર પથ્થરમારો થયો હતો. પોલીસે પથ્થરમારો કરવામાં સામેલ 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 7 મહિલા અને 10 પુરૂષની ધરપકડ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે કેટલીક મહિલાઓ અગાશી પર પરથી આરોગ્યની ટીમ પર પથ્થરમારો કરી રહી છે. મહત્વનું છે કે મંગળવારે મોડી રાત્રે એક કોરોનાના એક દર્દીનું મોત થયું હતું.
મેડિકલની ટીમ હાજી નેકની મસ્જિદ પાસે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા લેવા માટે ગઈ હતી. પરંતુ એમ્બ્યુલન્સ જેવી કેટલાક લોકોને લઈને નીકળી કે લોકોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ
Published On - 7:08 am, Thu, 16 April 20