ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ
દેશભરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન કોરોના વાઈસના સંક્રમણમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. ડૉ. રણદીપ ગુલરિયાએ કહ્યું કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી ચોમાસું આવવાથી કોઈ જ મોટું પરિવર્તન જોવા નહીં મળે. આમ કોરોના વાઈરસના કેસમાં ચોમાસું આવવાથી વધારો કે ઘટાડો થશે તે અંગેના અહેવાલોને […]
દેશભરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન કોરોના વાઈસના સંક્રમણમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. ડૉ. રણદીપ ગુલરિયાએ કહ્યું કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી ચોમાસું આવવાથી કોઈ જ મોટું પરિવર્તન જોવા નહીં મળે. આમ કોરોના વાઈરસના કેસમાં ચોમાસું આવવાથી વધારો કે ઘટાડો થશે તે અંગેના અહેવાલોને ડૉ. રણદીપ ગુલેરિયાએ ફગાવી દીધા છે.
આ પણ વાંચો : ચીનની સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સેના માટે સ્કૂલો ખાલી કરવા પણ ફરમાન
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મુંબઈના(IIT BOMBAY) 2 પ્રોફેસરે એક અધ્યયનમાં દાવો કર્યો હતો કે ગરમી અને ઠંડી ઋતુમાં કોરોના વાઈરસનનું જોખમ ઘટાડે છે. જ્યારે વાતાવરણમાં ભેજ હોય તો કોરોના વાઈરસનું જોખમ વધી જાય છે. આ દાવાને લઈને એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ઈન્ટરવ્યૂમાં જવાબ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ડૉ. રણદીપ ગુલેરિયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મને નથી લાગતું કે ચોમાસું આવ્યા પછી કોઈ નાટકીય પરિવર્તન જોવા મળે. જ્યારે ગરમી આવી હતી ત્યારે પણ ઘણાં લોકો કહીં રહ્યાં હતા કે કોરોના વાઈરસનું સંક્રમણ ઘટી જશે. જો કે આવું થયું નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે તબીબોએ ડાયગ્નોસ્ટિક્સના સંદર્ભે પરિવર્તન લાવવાની જરૂર પડશે કારણ કે ચોમાસામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જે બિમારીના લક્ષણો કોરોના સાથે મળતા આવે છે કે તે વધી જશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]