દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ
વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો વધીને 27 થઈ ગયો છે. અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,135થી વધુ થઈ ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, પોઝિટિવ કેસની સંખ્યા 63 સુધી પહોંચી Web Stories View more કથાકાર જયા […]
વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો વધીને 27 થઈ ગયો છે. અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,135થી વધુ થઈ ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, પોઝિટિવ કેસની સંખ્યા 63 સુધી પહોંચી
અહીં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 200ને પાર કરી ગયો છે. તો કેરળમાં 202 કેસ નોંધાઈ ચૂક્યા છે. એક જ દિવસમાં ભારતમાં 100 જેટલા કેસ નોંધાયા છે. દિલ્લીમાં પ્રથમવાર એક જ દિવસમાં 23 કેસ નોંધાયા હતા. દિલ્લીમાં કુલ કેસ 70થી વધુ થઈ ગયા છે. હજુ 359 લોકોના સેમ્પલ આવવાના બાકી છે. વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઈનમાં છે. તેમની તપાસ ચાલી રહી છે. રિપોર્ટ આવવાના બાકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો