AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus : તામિલનાડુમાં 23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન, સીએમ સ્ટાલિને કરી જાહેરાત

તમિલનાડુમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે, અહીં 28561 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની સંખ્યા 3042796 પર પહોંચી ગઈ છે.

Corona Virus : તામિલનાડુમાં 23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન, સીએમ સ્ટાલિને કરી જાહેરાત
Complete lockdown on 23 January in Tamilnadu announces CM Stalin
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:30 PM
Share

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને (Corona Cases) જોતા ઘણા રાજ્યોમાં વીકએન્ડ કર્ફ્યુ અને નાઇટ કર્ફ્યુ લાગુ છે. દરમિયાન, તમિલનાડુ સરકારે રવિવારે એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને (MK Stalin) શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરી છે કે 23 જાન્યુઆરીએ તમિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

સમગ્ર લોકડાઉન દરમિયાન રાજ્યમાં શાળાઓ, કોલેજો, ઓફિસ, બજારો, મોલ, સ્પા તમામ બંધ રહેશે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અગાઉ, રાજ્યમાં 9 જાન્યુઆરી અને 16 જાન્યુઆરીએ પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લાગુ છે.

તમિલનાડુમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે, અહીં 28561 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની સંખ્યા 3042796 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1,79205 થઈ ગઈ છે.

બીજી તરફ દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખ 47 હજારથી વધુ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં આજે દેશમાં 29,722 વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોના વાયરસના 3,17,532 કેસ હતા. નવા કેસ ઉમેર્યા પછી, દેશમાં સક્રિય કેસની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 4,88,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં તેની સંખ્યા હવે 10 હજારની નજીક પહોંચી ગઈ છે.

મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં ચેપને કારણે મૃત્યુના 703 કેસ નોંધાયા છે. તેમાંથી કેરળમાં 341 અને દિલ્હીમાં 43 કેસ નોંધાયા છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 48,83,961 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 1,41,971, કેરળમાં 51,501, કર્ણાટકમાં 38,515, તમિલનાડુમાં 37,112, દિલ્હીમાં 25,503 ઉત્તર પ્રદેશમાં 23,000 અને પશ્ચિમ બંગાળના 20,230 લોકો હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો –

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત

આ પણ વાંચો –

UP Assembly Election 2022 : Congressનું યુવાનો માટે Youth Manifesto, 20 લાખ નોકરીઓની ખાતરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">