કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન
ભારતમાં કોરોનાના કેસ સરકારે પગલાઓ લેવાનું શરુ કરી દીધું છે. ખાસ કરીને ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, નેપાલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટાલીથી આવનારા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જ થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે અને જો શરીરના તાપમાનમાં કોઈ ફર્ક દેખાય તો વધારે તપાસ માટે તેને હોસ્પિટલમાં રિફર […]
ભારતમાં કોરોનાના કેસ સરકારે પગલાઓ લેવાનું શરુ કરી દીધું છે. ખાસ કરીને ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, નેપાલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટાલીથી આવનારા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જ થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે અને જો શરીરના તાપમાનમાં કોઈ ફર્ક દેખાય તો વધારે તપાસ માટે તેને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.
ભારત સરકારે જારી કરી છે હેલ્પલાઈન
આ પણ વાંચો : VIDEO: સુરતના કારંજ વિસ્તારમાં સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હોવાથી રહીશોએ કાઢ્યો મોરચો
કોરોનાએ દિલ્હીમાં દસ્તક દીધી છે અને તેને લઈને સરકારે પહેલાં જ સાવચેતી દાખવી છે. કોરોના વાઈરસને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. +911123978046 પર કોલ કરીને તમે કોરોના લઈને મદદ માગી શકો છો. આ સિવાય સરકારે એક ઈમેઈલ આઈડી પણ જારી કર્યું છે. ncov2019@gmail.com જેના પર વિગતે લખીને જાણકારી મેળવી શકશો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ચીનમાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાથી ભારતીયો માટે એક ખાસ હેલ્પલાઈન ચીનની મદદથી મેળવવા માટે શરૂ કરવામાં આવી છે. જો કોઈ ચીનમાં ફસાયું હોય તો તે helpdesk.beijing@mea.gov.in પર સંપર્ક કરીને મદદ માગી શકે છે. આ ઉપરાંત 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં +8619610952903 પર જાણકારી મેળવી શકાય છે.