Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા

કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસે હજુ પણ કોરોના રસીના 12.37 કરોડથી વધુ નહિ વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે.

Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 11:41 AM

Corona Vaccine: કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસે હજુ પણ કોરોના રસીના 12.37 કરોડથી વધુ નહિ વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 170.95 કરોડ (1,70,95,24,720) થી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “12.37 કરોડથી વધુ (12,37,14,841) બાકી અને બિનઉપયોગી કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.”

તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સીનને સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક પર કોરોનાની રસી લેવા માટે ભાર આપી રહી છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોરોના રસી આપીને મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી અને સપ્લાય કરશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં આપશે. દેશવ્યાપી કોરોના રસીકરણ 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું.

ભારતમાં રસીકરણનો કુલ આંકડો 172 કરોડને વટાવી ગયો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના (Corona Vaccine) 172.81 કરોડ ડોઝ લગાવવામાં કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે, શનિવારે દેશમાં કોરોના વાયરસ માટે 14,15,279 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 75.07 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના 172.81 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,72,81,49,447 છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાઈરસના (Coronavirus) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી છે. માહિતી અનુસાર આજે દેશભરમાંથી સંક્ર્મણના 44,877 નવા કેસ નોંધાયા છે. જે બાદ હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,26,31,421 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 684 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 5,08,665 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 5.37 લાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો: IGNOU Admissions 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની તારીખ લંબાવાઈ, 21 ફેબ્રુઆરી સુધી થશે અરજી

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">