Corona Cases In Delhi: કોરોના મહામારીની ઝપેટમાં દિલ્હી, રસીકરણ ન કરાવનારાઓને સૌથી વધુ થઈ અસર

જ્યાં આજે કોરોનાના તાજેતરના કેસોમાં ઘટાડાથી રાહત મળી છે, ત્યારે મૃત્યુના આંકડાએ ફરી ચિંતા વધારી છે. 4,291 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 33,175 થઈ ગયા છે.

Corona Cases In Delhi: કોરોના મહામારીની ઝપેટમાં દિલ્હી, રસીકરણ ન કરાવનારાઓને સૌથી વધુ થઈ અસર
delhi corona cases ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 7:27 AM

દિલ્હીમાં (Delhi) કોરોનાને (Corona) કારણે 13થી 15 જાન્યુઆરીની વચ્ચે કુલ 89 દર્દીઓના મોત થયા હતા, જેમાંથી માત્ર 36 ટકા લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર 13થી 25 જાન્યુઆરીની વચ્ચે કોરોનાને કારણે કુલ 438 દર્દીઓના મોત થયા હતા, જેમાંથી 94 દર્દીઓ એવા હતા જેમના મૃત્યુનું મુખ્ય કારણ વાયરસનું સંક્ર્મણ હતું. માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ કિડની, કેન્સર અને ફેફસાં સંબંધિત અન્ય જીવલેણ રોગોથી પીડિત હતા.

દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર 1 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે કુલ 2,503 સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 79 ટકા સેમ્પલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. કોરોના મહામારીના બીજા ગંભીર લહેર દરમિયાન તબાહી મચાવનાર વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની 13.70 ટકા નમૂનાઓમાં પુષ્ટિ થઈ હતી.

બીજી તરફ ગુરુવારે દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ગુરુવારે કોરોનાના 4,291 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, બુધવારે દિલ્હીમાં કોરોનાના 7,498 નવા કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે કોરોનાના 6,028 નવા કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે 34 દર્દીઓના મોત થયા છે. જ્યાં કોરોનાના તાજેતરના કેસોમાં ઘટાડાથી રાહત મળી છે, ત્યારે મૃત્યુઆંકે ફરી ચિંતા વધારી છે. 4,291 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 33,175 થઈ ગયા છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

એક્ટિવ કેસની સંખ્યા 13 દિવસમાં અડધી થઈ ગઈ

ગત 13 જાન્યુઆરીના રોજ 94,160 પર પહોંચ્યા બાદ દિલ્હીમાં એક્ટિવ કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા માત્ર 13 દિવસમાં અડધી થઈ ગઈ છે. તે જ સમયે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા અડધી કરવામાં 21 દિવસનો સમય લાગ્યો. જો કે કોરોનાની ત્રીજી લહેરમાં 13 જાન્યુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા વધીને 94,160 થઈ ગઈ, જે બુધવારે ઘટીને 39 હજાર થઈ ગઈ. જોકે, કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 28 એપ્રિલના રોજ વધીને 99,752 થઈ ગઈ હતી, જે 19 મેના રોજ ઘટીને 45,047 થઈ ગઈ હતી.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ગુરુવારે ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : On This Day: આજના દિવસે જ અમેરિકાનું અવકાશયાન ‘ચેલેન્જર’ થયું હતું ક્રેશ, તમામ 7 અવકાશયાત્રીના થયા હતા મોત

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">