AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

બંને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણના કેસ વધે છે, તો ફરી એકવાર મુશ્કેલી વધી શકે છે. કેરળ સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફરી કોરોનાએ ચિંતા વધારી છે.

કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ
Corona Testing - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 1:11 PM
Share

ભારતમાં કોરોના રોગચાળાને (Corona Virus) ટાળવા માટે જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ હવે કોવિડ -19 નો શિકાર બની રહ્યા છે. કેરળમાં દરરોજ નોંધાતા નવા કોરોના કેસોમાં 40 ટકા દર્દીઓ એવા છે જેમણે રસીના (Corona Vaccine) બંને ડોઝ લીધા છે. એટલે કે હવે ભારતમાં બ્રેકથ્રુ ચેપનું જોખમ વધવા લાગ્યું છે. બ્રેકથ્રુ ઇન્ફેક્શન એ એવા કિસ્સાઓનો ઉલ્લેખ કરે છે કે જેમાં બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓને પણ ચેપ લાગ્યો હોય. આ ખતરાને ધ્યાનમાં રાખીને જલ્દીથી બૂસ્ટર ડોઝની (Booster Dose) પણ જરૂર પડી શકે છે.

જો કેરળ તેમજ અન્ય રાજ્યોમાં બંને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણના કેસ વધે છે, તો ફરી એકવાર મુશ્કેલી વધી શકે છે. કેરળ સહિત દેશભરમાં કોરોનાના કેસમાં (Corona Cases) ઘટાડો થયો છે, પરંતુ ફરી કોરોનાએ ચિંતા વધારી છે. કેરળ હજુ પણ સૌથી વધુ નવા કેસ ધરાવતું રાજ્ય છે. બંને ડોઝ લીધા બાદ પણ લોકોને સંક્રમણ થઈ રહ્યું છે.

કેરળમાં મોટી વસ્તીને રસી આપવામાં આવી છે છતાં તેઓ ચેપગ્રસ્ત જો આપણે અહીં છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો, દરરોજ 6000 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશના નવા કેસના 60 ટકાની નજીક છે. એટલું જ નહીં, કેરળના આ નવા કેસોમાં 40 ટકા નવા દર્દીઓ એવા છે જેમણે બંને ડોઝ લીધા છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે કેરળની 95 ટકા વસ્તીને કોરોનાની પ્રથમ રસી આપવામાં આવી છે અને 60 ટકા વસ્તીને બંને રસી આપવામાં આવી છે.

દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા 125 દર્દીઓમાંથી 65 કેરળના અને 18 મહારાષ્ટ્રના છે. આ સિવાય આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,38,49,785 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.35 ટકા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1,34,096 થઈ ગઈ છે, જે ચેપગ્રસ્તોની કુલ સંખ્યાના 0.39 ટકા છે અને તે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ થયા મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,63,655 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 1,40,583, કર્ણાટકમાં 38,145, તમિલનાડુમાં 36,284, કેરળમાં 35,750, દિલ્હીમાં 25,094, ઉત્તર પ્રદેશમાં 22,909 અને પશ્ચિમ બંગાળના 19,314 લોકો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી.

ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.

આ પણ વાંચો : સ્ટોક લિમિટ લાદવાના સમાચારથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો, હજુ પણ ઘટી શકે છે તેલના ભાવ

આ પણ વાંચો : NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">