ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ

UP ATS એ ગેરકાયદે ધર્માંતરણ મામલે ગ્લોબલ પીસ સેન્ટરના પ્રમુખ મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. કલીમની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, કાલી ઉમર ગૌતમની નજીક છે અને ગેરકાયદે ધર્માતરણ કેસના મામલામાં તેની સાથે જોડાયેલ છે. મૌલાના કલિમે ફિલ્મ અભિનેત્રી સનાખાનના નિકાહ કરાવ્યા હતા.

ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ
Maulana Kaleem Siddiqui
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 1:10 PM

Conversion Racket: ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં યુપી એટીએસએ ગ્લોબલ પીસ સેન્ટરના પ્રમુખ મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. UP ATS એ મૌલાના કલીમ સિદ્દીકીની મેરઠથી ધરપકડ કરી છે. મૌલાના જમિયત-એ-વલીઉલ્લાહના પ્રમુખ પણ છે. મળતી માહિતી મુજબ મૌલાના કલીમ ઉમર ગૌતમની નજીક છે.

ઉતરપ્રદેશ ATS દ્વારા આ મુદ્દે આજે લખનૌમાં મોટો ખુલાસો કરી શકે છે. કાલિમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ રહી હતી. મૌલાના કલીમ મંગળવારે સાંજે મેરઠમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે નમાઝ પછી, તે તેના સાથીઓ સાથે પાછો ફર્યો હતો. આ દરમિયાન, પરિવારના સભ્યોએ મૌલાનાને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. આ પછી પરિવારે મૌલાનાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ખબર પડી કે ઉતરપ્રદેશ ATS એ તેમને કસ્ટડીમાં લીધા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આજે થઈ શકે છે મોટો ખુલાસો મુઝફ્ફરનગરના ખતૌલીમાં રહેતા મૌલાન કલીમ સિદ્દીકી અને ત્રણ મૌલવીઓ, ડ્રાઈવર સલીમની મંગળવારે રાત્રે સુરક્ષા એજન્સીએ અટકાયત કરી હતી. લખનૌ એટીએસએ આખી રાત ચારેયની પૂછપરછ કરી છે. સુરક્ષા એજન્સી આજે આ મામલે મોટો ખુલાસો કરી શકે છે.

ઉમર ગૌતમે સૌથી પહેલા નામ લીધું ઉમર ગૌતમે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના ભાગીદાર મૌલાના કલીમ સિદ્દીકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં 5 લાખથી વધુ લોકોના ધર્માંતરણ કર્યા હતા. સગીરોનું રૂપાંતર IDC દ્વારા પણ કરવામાં આવી રહ્યું હતું. જેમનુ ધર્માંતરણ કરાયુ છે, તેમના નામ એટીએસને મળ્યા છે. તેમાં ખ્રિસ્તી 4 ટકા, શીખ 0.75 ટકા અને એક જૈન વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

સનાખાનના કરાવ્યા હતા નિકાહ મૌલાના કલીમ સિદ્દીકીને ધર્મ પરિવર્તનના કેસમાં આરોપી બનાવી શકાય છે. તેના પર અસંખ્ય ધર્મપરિવર્તન કરવાનો આરોપ છે. મૌલાના કલિમે 7 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા આયોજિત રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોચ્ચ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. મૌલાના કલીમ સિદ્દીકીએ બોલીવુડની પૂર્વ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા.

વિદેશથી મેળવ્યા 3 કરોડ ઉતરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, અત્યાર સુધીની તપાસમાં મૌલાનાને વિદેશમાંથી કુલ 3 કરોડ મળ્યા છે. જેમાં 1.5 કરોડ બહેરીનથી મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કરવા માટે એટીએસ દ્વારા કુલ છ ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM Modi US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના, કહ્યું – આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

આ પણ વાંચોઃ Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">