દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું “અન્યાયનો જવાબ લઈને રહીશુ”

|

Nov 10, 2021 | 7:37 PM

આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો મોંઘવારી સામે લોકોનો અવાજ મજબૂત કરવા વધુને વધુ પ્રયાસ કરશે.

દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું અન્યાયનો જવાબ લઈને રહીશુ
PM Modi and Rahul Gandhi

Follow us on

દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ (Congress) ‘જન જાગરણ અભિયાન’ નામથી જનઆંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જનઆંદોલન 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે (KC Venugopal)જણાવ્યું હતું કે સીએનજી, એલપીજી, ડીઝલ, પેટ્રોલ, રાંધણ તેલ, કઠોળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના અભૂતપૂર્વ ભાવ વધારા સામે લોકોના અવાજને મજબૂત કરવા કોંગ્રેસના કાર્યકરો વધુને વધુ પ્રયાસો કરી રહ્યા છે.’

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ એક્શનમાં

ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જન જાગરણ અભિયાન વિશે ટ્વીટ કર્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કર્યું કે ભાજપ સરકારનું જન ઉત્પીડન અભિયાન ચાલી રહ્યું છે, હવે કોંગ્રેસનું #JanJagaranAbhiyan ચાલશે. અન્યાયનો જવાબ લઈને રહીશું.”

 

 

મળતી માહિતી મુજબ કોંગ્રેસ (Congress) પ્રચાર માટે એક લોગો પણ બનાવી રહી છે, જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી દાંડી કૂચ જેવો હશે. આ સિવાય 12 નવેમ્બરે સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના ટોચના નેતાઓ જનસંપર્ક કાર્યક્રમોના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ થશે.

 

પાર્ટીના પ્રચાર માટે લોકો પોતાની નોંધણી કરાવી શકે તે માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.

 

29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર યોજવાની ભલામણ

તમને જણાવી દઈએ કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં આયોજિત સંસદ સત્રની જેમ શિયાળુ સત્ર પણ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને આયોજિત કરવામાં આવશે.

 

સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર (Budget Session) અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત એમ.વેંકૈયા નાયડુને પણ આમંત્રણ

Next Article