AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગે ભીડભાડવાળી જગ્યાઓ પર કોવિડ ટેસ્ટિંગ સેવા ફરી શરૂ કરવાના આદેશ જાહેર કર્યા છે.

જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ
Jammu and Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:21 PM
Share

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગે ભીડભાડવાળી જગ્યાઓ પર કોવિડ ટેસ્ટિંગ સેવા ફરી શરૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આદેશ અનુસાર મોટાભાગની દરગાહ અને લગ્નમાં લોકોની ભીડ જોવા મળે છે. તેથી, નિયુક્ત તબીબી અધિકારીઓ આવા સ્થળોએ કોવિડ પરીક્ષણ સેવા પ્રદાન કરાશે.

શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર ખાસ કરીને એવી જગ્યાઓ પર નજર રાખી રહ્યું છે જ્યાં લોકો વધુ ભેગા થાય છે અને આ લગ્નોમાં વધુ જોવા મળ્યું છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર એજાઝ અસદના જણાવ્યા અનુસાર, 60 ટકા મહિલાઓ એવી છે જે હાલમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને લોકોએ તેમની સાથે અન્ય લોકોની પણ કાળજી લેવી જોઈએ.

શ્રીનગરમાંથી દરરોજ 60 ટકા કેસ સામે આવે છે

આ પહેલા શ્રીનગરના ડેપ્યુટી કમિશનર (DC) મોહમ્મદ એજાઝ અસદે જણાવ્યું હતું કે, શ્રીનગરમાં કોવિડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન ન કરવાથી જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી લહેર આવી શકે છે. કોમર્શિયલ હબ લાલ ચોક ખાતે મીડિયા સાથે વાત કરતા અસદે કહ્યું કે, શ્રીનગર જિલ્લામાંથી દરરોજ લગભગ 60 ટકા કોવિડ કેસ આવી રહ્યા છે.

‘જમ્મુ-કાશ્મીરમાં ત્રીજી લહેરનું કારણ શ્રીનગર હોઈ શકે છે’

તેમણે કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે હું એ કહેવામાં અચકાવું નહીં કે જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત ત્રીજી કોવિડ વેવનું કારણ શ્રીનગર હોઈ શકે છે. તેમણે કહ્યું કે એસઓપીનું પાલન કરવાની જરૂર છે જેથી કરીને કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં સરળતા રહે. જો કે, તેમણે કહ્યું કે જે લોકો માર્ગદર્શિકાનું પાલન નહીં કરે, વહીવટીતંત્ર આ અંગે કડક પગલાં લેશે.

દેશમાં કોરોનાની સ્થિતિ

બુધવારે દેશમાં કોરોનાના 11,466 નવા કેસ નોંધાયા છે અને 460 લોકોના મોત થયા છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં 11,961 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. નવા કેસ આવ્યા બાદ સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 3.43 કરોડ થઈ ગઈ છે, જેમાં લગભગ 3.37 કરોડ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 98.25 ટકા છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 1,39,683 પર આવી ગઈ છે, જે ચેપના કુલ કેસના એક ટકાથી પણ ઓછી છે.

આ પણ વાંચો: Assistant Professor Recruitment 2021: IIT મદ્રાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે સિલેક્શન

Follow Us
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
કાલોલની MM ગાંધી કોલેજમાં ખોટું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ અટવાયા
કાલોલની MM ગાંધી કોલેજમાં ખોટું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ અટવાયા
શું મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે?
શું મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે?
એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ
એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ
સુરત જૈન આચાર્ય વિવાદ મહિલાઓને ધમકી
સુરત જૈન આચાર્ય વિવાદ મહિલાઓને ધમકી
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
નકલી નોટની જાળમાં બેન્કો પણ ફસાઈ, જુઓ વીડિયો
નકલી નોટની જાળમાં બેન્કો પણ ફસાઈ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">