જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગે ભીડભાડવાળી જગ્યાઓ પર કોવિડ ટેસ્ટિંગ સેવા ફરી શરૂ કરવાના આદેશ જાહેર કર્યા છે.

જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ
Jammu and Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:21 PM

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગે ભીડભાડવાળી જગ્યાઓ પર કોવિડ ટેસ્ટિંગ સેવા ફરી શરૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આદેશ અનુસાર મોટાભાગની દરગાહ અને લગ્નમાં લોકોની ભીડ જોવા મળે છે. તેથી, નિયુક્ત તબીબી અધિકારીઓ આવા સ્થળોએ કોવિડ પરીક્ષણ સેવા પ્રદાન કરાશે.

શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર ખાસ કરીને એવી જગ્યાઓ પર નજર રાખી રહ્યું છે જ્યાં લોકો વધુ ભેગા થાય છે અને આ લગ્નોમાં વધુ જોવા મળ્યું છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર એજાઝ અસદના જણાવ્યા અનુસાર, 60 ટકા મહિલાઓ એવી છે જે હાલમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને લોકોએ તેમની સાથે અન્ય લોકોની પણ કાળજી લેવી જોઈએ.

શ્રીનગરમાંથી દરરોજ 60 ટકા કેસ સામે આવે છે

આ પહેલા શ્રીનગરના ડેપ્યુટી કમિશનર (DC) મોહમ્મદ એજાઝ અસદે જણાવ્યું હતું કે, શ્રીનગરમાં કોવિડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન ન કરવાથી જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી લહેર આવી શકે છે. કોમર્શિયલ હબ લાલ ચોક ખાતે મીડિયા સાથે વાત કરતા અસદે કહ્યું કે, શ્રીનગર જિલ્લામાંથી દરરોજ લગભગ 60 ટકા કોવિડ કેસ આવી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

‘જમ્મુ-કાશ્મીરમાં ત્રીજી લહેરનું કારણ શ્રીનગર હોઈ શકે છે’

તેમણે કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે હું એ કહેવામાં અચકાવું નહીં કે જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત ત્રીજી કોવિડ વેવનું કારણ શ્રીનગર હોઈ શકે છે. તેમણે કહ્યું કે એસઓપીનું પાલન કરવાની જરૂર છે જેથી કરીને કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં સરળતા રહે. જો કે, તેમણે કહ્યું કે જે લોકો માર્ગદર્શિકાનું પાલન નહીં કરે, વહીવટીતંત્ર આ અંગે કડક પગલાં લેશે.

દેશમાં કોરોનાની સ્થિતિ

બુધવારે દેશમાં કોરોનાના 11,466 નવા કેસ નોંધાયા છે અને 460 લોકોના મોત થયા છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં 11,961 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. નવા કેસ આવ્યા બાદ સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 3.43 કરોડ થઈ ગઈ છે, જેમાં લગભગ 3.37 કરોડ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 98.25 ટકા છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 1,39,683 પર આવી ગઈ છે, જે ચેપના કુલ કેસના એક ટકાથી પણ ઓછી છે.

આ પણ વાંચો: Assistant Professor Recruitment 2021: IIT મદ્રાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે સિલેક્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">