સોનિયા ગાંધી આજે કર્ણાટક પહોંચશે, 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રામાં સામેલ થશે
સોનિયા ગાંધી (Sonia Gandhi) સોમવારે કર્ણાટક પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રામાં સામેલ થશે. તેમના સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) 25 દિવસ પૂર્ણ થયા છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં આ યાત્રા કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કર્ણાટકમાં ભારત જોડી યાત્રા મૈસુરમાં છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ સોમવારે કર્ણાટક પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રામાં સામેલ થશે. તેમના સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે 6 ઓક્ટોબરે કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કોંગ્રેસના નેતાઓને મળશે. કાર્યકર્તા સાથે તે આ યાત્રામાં ભાગ લેશે. સોમવારે કર્ણાટક પહોંચ્યા બાદ સોનિયા ગાંધી કુર્ગમાં મદકેરી જશે અને ત્યાં એક ખાનગી રિસોર્ટમાં રોકાશે. એવી માહિતી પણ આપવામાં આવી છે કે મૈસૂરમાં ભારત જોડો યાત્રા પૂરી કર્યા બાદ રાહુલ ગાંધી મદકેરી પણ જશે. ત્યાં તેઓ માતા સોનિયા ગાંધી સાથે બે દિવસ રોકાશે. આ પછી 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
પ્રિયંકા ગાંધીના જોડાવા પર સસ્પેન્સ
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની માતા સાથે આ યાત્રામાં હાજરી આપશે કે કેમ. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોએ 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દિવસોમાં યાત્રા કર્ણાટકમાં છે. આ યાત્રા આવતા વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં પૂરી થશે. આ યાત્રામાં કુલ 3570 કિમીનું અંતર કાપવામાં આવશે.
વરસાદમાં ભીંજાયેલા રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી
બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મૈસૂરમાં ભારે વરસાદ વચ્ચે જનસભાને સંબોધતા કહ્યું કે ભારત જોડો યાત્રા દ્વારા દેશને એક કરતા અમને કોઈ રોકી શકશે નહીં. આ પછી લોકોએ કોંગ્રેસની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધી શહેરની સીમમાં જાહેર સભા સ્થળે પહોંચ્યા કે તરત જ અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. જ્યારે વાયનાડના સાંસદ ગાંધીએ તેમનું ભાષણ ચાલુ રાખવાનું નક્કી કર્યું ત્યારે લોકોએ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર જશે અને અટકશે નહીં. તમે જોયું કે વરસાદ પડી રહ્યો છે પણ વરસાદ આ પ્રવાસને રોકી શક્યો નહીં. ગરમી, તોફાન કે ઠંડી આ યાત્રાને રોકી શકતી નથી.