Congress Rally in Jaipur : આજે મહારેલીમાં ખેડૂતો અને મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરશે રાહુલ-પ્રિયંકા, સોનિયા ગાંધીના આગમન પર સસ્પેન્સ

રાજકીય વર્તુળોમાં આ રેલીને રાહુલ ગાંધીને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવાની તૈયારીના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વી નારાયણ સામીએ શનિવારે કહ્યું કે, રાહુલ ગાંધી અમારા નેતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેઓ ફરીથી પાર્ટી અધ્યક્ષ બને.

Congress Rally in Jaipur : આજે મહારેલીમાં ખેડૂતો અને મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરશે રાહુલ-પ્રિયંકા, સોનિયા ગાંધીના આગમન પર સસ્પેન્સ
rahul, priyanka(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:53 AM

Congress Rally in Jaipur:દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ આજે રાજસ્થાનના જયપુર(Congress Rally in Jaipur)માં રેલી કરવા જઈ રહી છે. આ તકે રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)  મંચ પર હાજર રહેશે અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી(Sonia Gandhi)ના આગમનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભવ્ય રેલીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ફરી રાહુલ ગાંધીની રાજ્યાભિષેકની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. રાજસ્થાનમાં પોસ્ટરો-બેનરો અને સમાચારપત્રમાં રાહુલ ગાંધીની તસવીરો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસ ખેડૂતો (Farmers), મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.

આ રેલીમાં દેશભરમાંથી પાર્ટીના કાર્યકરો અને અન્ય અગ્રણી નેતાઓ ભાગ લેશે. કોંગ્રેસના મહાસચિવ અને રાજસ્થાનના પ્રભારી અજય માકને ગઈકાલે કહ્યું હતું કે, આ એક રાષ્ટ્રીય રેલી છે, જેમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજરી આપશે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi) આ રેલીમાં હાજરી આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. મહારેલી માટે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ શનિવારે સાંજે જયપુર પહોંચી ગયા છે. પાર્ટીના સંગઠન મહાસચિવ રણદીપ સુરેજવાલાએ અહીં જણાવ્યું હતું કે,(Congress rally against inflation) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે નિર્ણાયક યુદ્ધની શરૂઆત કરશે.”

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

રાહુલના પોસ્ટર સંકેતો આપી રહ્યા છે

કોંગ્રેસની મોંઘવારી હટાઓ મહારેલી માટે જયપુર શહેરના મુખ્ય માર્ગો પોસ્ટર-બેનરોથી ભરાઈ ગયા છે. મોટાભાગના પોસ્ટરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પોસ્ટરો પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રભારી અજય માકન અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાનાં ફોટા છે. જો કે, ખાસ વાત એ છે કે, આમાં રાહુલ ગાંધીના ફોટોને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને તે દરેક પોસ્ટરના કેન્દ્રમાં છે. કોંગ્રેસની આ રેલીને મોંઘવારી સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે પાર્ટીના મોટા હુમલા તરીકે જોવામાં આવી રહી છે.

રાજકીય વર્તુળોમાં આને રાહુલ ગાંધીને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવાની તૈયારીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વી નારાયણસામીએ કોંગ્રેસના પ્રદેશ મુખ્યાલયની બહાર કહ્યું કે રાહુલ ગાંધી અમારા નેતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ ફરીથી પાર્ટી અધ્યક્ષ બને.

અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું

કોંગ્રેસની ‘મોંઘવારી હટાઓ મહારાલી’ પહેલા, સીએમ ગેહલોતે ટ્વિટર પર ફિલ્મ ‘પીપલી લાઈવ’ના ‘મહંગાઈ દયાન ખાયે જાતા હૈ’ ગીતની લિંક શેર કરી હતી.

રેલીની સમીક્ષા કર્યા પછી, સીએમ ગેહલોતે કહ્યું, ‘મોંઘવારી સામેની આ રેલીને લઈને પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. મોંઘવારી એક મોટી સમસ્યા છે જેના કારણે દેશનો દરેક વ્યક્તિ નાખુશ છે. આ કેન્દ્ર સરકારની ખોટી નીતિઓનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘આગામી વિધાનસભાની ચૂંટણી અમે કેવી રીતે જીતીએ છીએ, તેની શરૂઆત પણ આવતીકાલે રેલીથી થશે.

દિલ્હીમાં પરવાનગી ન મળી તો જયપુર પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે આ રેલી અગાઉ દિલ્હીમાં યોજાવાની હતી, પરંતુ મંજૂરીના અભાવે જયપુરમાં કરવામાં આવી રહી છે. આ રેલી અહીંના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં યોજાવાની છે અને પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માટે વધુને વધુ લોકોને એકત્ર કરવાનું લક્ષ્ય છે. કોંગ્રેસ હાઈકમાન્ડની સામે રાજસ્થાનમાં સરકાર અને પાર્ટી સંગઠનની તાકાતની કસોટી પણ માનવામાં આવી રહી છે.

પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓ માટે પ્રભારી નિયુક્ત કર્યા છે અને તેમના નામ અને ફોન નંબર જાહેર કર્યા છે. રેલીની તૈયારીઓ માટે 11 કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને બનાવીને લોકોને એકત્ર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર ‘#dahngaihataoMahaRally’ અને ‘#JaipurChalo’ સાથે પોસ્ટ કરી છે.

આ પણ વાંચો : Omicronના વધતા જતા કેસોએ આ દેશની વધારી દીધી ચિંતા, જાન્યુઆરીમાં આવી શકે છે મોટી લહેર

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">