સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન

બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન
Sonia Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 4:33 PM

કોંગ્રેસ (Congress) પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખોની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કહ્યું હતું કે કોંગ્રેસ દેશને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રોજ નિવેદનો આપે છે, પરંતુ મારો અનુભવ છે કે તે પાયાના કાર્યકરો સુધી પહોંચતું નથી. હું નીતિ વિષયક મુદ્દાઓ પર રાજ્ય સ્તરના નેતાઓમાં વૈચારિક સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોઉં છું. તેમણે કહ્યું કે આપણે ભાજપ-આરએસએસની દૂષિત વિચારધારાનો સામનો કરવો પડશે. આપણે શિસ્ત અને એકતા દાખવવી પડશે.

બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુ એઆઈસીસી મુખ્યાલય પહોંચ્યા. આ બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.

સભ્યપદ અભિયાન બે અઠવાડિયા સુધી ચાલશે 16 ઓક્ટોબરે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવા સાથે 1 નવેમ્બરથી કોંગ્રેસ સદસ્યતા અભિયાન ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે 14 થી 29 નવેમ્બર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આવતા વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ ફરીથી રાજ્યની સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે. ગત દિવસોમાં પંજાબ કોંગ્રેસમાં જોરદાર રાજકીય હંગામો થયો હતો, જેના કારણે વિપક્ષને નિશાન સાધવાની તક મળી હતી. પંજાબ કોંગ્રેસ અને ત્યાંની સરકારમાં થયેલા ફેરફારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સોનિયાએ કહ્યું હતું કે, આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કમર કસી રહ્યા છે. અમારું ચૂંટણી પ્રચાર નક્કર નીતિઓ અને કાર્યક્રમો પર આધારિત હોવું જોઈએ જે સમાજના તમામ વર્ગો સાથે ચર્ચા કર્યા પછી બહાર આવ્યા હોય. તમારા માટે અને આપણા બધા માટે મહત્વની બાબત એ છે કે સંગઠન મજબૂત છે. તે વ્યક્તિગત આકાંક્ષાઓથી ઉપર હોવું જોઈએ. તેમાં સામૂહિક અને વ્યક્તિગત સફળતા રહેલી છે.

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે

આ પણ વાંચો : પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">