AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે

આ વખતે શિયાળુ સત્રનું વિશેષ મહત્વ છે કારણ કે તે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હશે. આ ચૂંટણીઓને 2024ની સામાન્ય ચૂંટણીની 'સેમી ફાઈનલ' તરીકે જોવામાં આવી રહી છે.

સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે
Parliament Winter Session
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 4:13 PM
Share

સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) 29 નવેમ્બરથી શરૂ થઈને 23 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે. આ વખતે શિયાળુ સત્રનું વિશેષ મહત્વ છે કારણ કે તે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હશે. આ ચૂંટણીઓને 2024ની સામાન્ય ચૂંટણીની ‘સેમી ફાઈનલ’ તરીકે જોવામાં આવી રહી છે. રોગચાળાને જોતા, ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને ત્યારપછીના તમામ સત્રો, બજેટ અને ચોમાસુ સત્રોની સમય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.

લોકસભા અને રાજ્યસભા (Lok Sabha Rajya Sabha) બંનેની બેઠક એક જ સમયે યોજાશે. પહેલા કેટલાક સત્રોમાં સંસદ સંકુલની અંદર ઘણા બધા લોકો હાજર ન હોય તેની ખાતરી કરવા માટે બંને ગૃહોની કાર્યવાહી અલગ-અલગ સમયે યોજવામાં આવી હતી. શિયાળુ સત્રમાં સંકુલ અને મુખ્ય સંસદની ઇમારતમાં પ્રવેશ કરનારાઓને દરેક સમયે માસ્ક પહેરવાનું કહેવામાં આવી શકે છે અને તેઓ કોવિડ ટેસ્ટમાંથી પસાર થઈ શકે છે.

આ મુદ્દાઓ કેન્દ્રમાં રહેશે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી મહિનાના અંતમાં એટલે કે 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે. આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જો કે ખેડૂતોના આંદોલનના મુદ્દે લાંબા સમયથી સરકારની સામે ઉભેલા વિપક્ષ સંસદમાં વિરોધ પણ કરી શકે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યાનો મામલો પણ વેગ પકડી શકે છે. આ સ્થિતિમાં સરકાર માટે કોઈ પણ બિલ પર ચર્ચા કરાવવી મુશ્કેલ બની શકે છે.

આ સત્રમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે, જેની જાહેરાત સરકારે બજેટમાં કરી હતી. આ બિલોમાંથી એક જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ રીતે પૂર્ણ કરવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત સરકાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) થી નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ (NPS) ને અલગ કરવા PFRDA એક્ટ, 2013 માં સુધારો કરવા માટે બિલ પણ લાવી શકે છે. તેનાથી પેન્શનનો વ્યાપ વધશે.

સૂત્રોએ જણાવ્યું કે સંસદના આગામી શિયાળુ સત્રમાં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારો કરવા બિલ લાવી શકે છે. આ સિવાય બેંકોના ખાનગીકરણ માટે બેંકિંગ કંપનીઝ એક્ટ, 1970 અને બેંકિંગ કંપનીઝ એક્ટ, 1980માં સુધારાની જરૂર પડશે.

આ કાયદાઓ દ્વારા બેંકોનું બે તબક્કામાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. હવે બેંકોના ખાનગીકરણ માટે આ કાયદાઓની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. અનુદાન માટેની પૂરક માંગણીઓનો બીજો હપ્તો પણ સંસદના આ શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે, જે 25 દિવસ સુધી ચાલશે. ફાઇનાન્સ બિલ સિવાય સરકાર તેના દ્વારા વધારાનો ખર્ચ કરી શકે છે.

આ પણ વાંચો : Cruise Drug Party case: Tv9ના હાથે લાગી રેડના દિવસની કેટલીક મહત્વની તસવીરો અને ચેટના સ્ક્રિન શોટ

આ પણ વાંચો : Cabinet Meeting: PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ, આ મુદ્દાઓ પર ચર્ચા થશે

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">