Coal and Power Crisis: દેશને અંધારામાં રાખીને મોદી સરકાર કોનો વિકાસ કરી રહી છે? વીજળી સંકટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો હુમલો

|

Jun 08, 2022 | 4:23 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું, દેશમાં કોલસા અને વીજળીનું સંકટ ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. સરકારે રાજ્યોને બહારથી કોલસો ખરીદવા કહ્યું છે અને સ્થાનિક કોલસામાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે.

Coal and Power Crisis: દેશને અંધારામાં રાખીને મોદી સરકાર કોનો વિકાસ કરી રહી છે? વીજળી સંકટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો હુમલો
Rahul Gandhi
Image Credit source: File Image

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કોલસા અને વીજળી સંકટને લઈને મોદી સરકાર (Modi Government) પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ ફેસબુક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં કોલસા અને વીજળીનું સંકટ ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. સરકારે રાજ્યોને બહારથી કોલસો ખરીદવા કહ્યું છે અને સ્થાનિક કોલસામાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે. 8 વર્ષમાં સરકાર કોલસાની સમસ્યાનો અંત લાવશે, 24 કલાક વીજળી મળશે, તેમ માત્ર વાતો કરવામાં આવી હતી. દેશને અંધારામાં રાખીને મોદી સરકાર કોનો વિકાસ કરી રહી છે?

રાહુલ ગાંધી મોદી સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે

આ પહેલા પણ તેઓ આ મુદ્દે સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ ભૂતકાળમાં મોંઘવારી, બેરોજગારી, સાંપ્રદાયિક હિંસા જેવા અનેક મુદ્દે મોદી સરકારને ઘેરી છે. 30 એપ્રિલના રોજ કરવામાં આવેલા એક ટ્વિટમાં, કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, વડાપ્રધાનના ‘વાયદા’ અને ‘ઈરાદાઓ’ વચ્ચેનો તાર હંમેશા કપાયો હતો. મોદીજી, આ વીજળી સંકટમાં તમારી નિષ્ફળતા માટે તમે કોને દોષ આપશો? નેહરુને? રાજ્ય સરકારો? અથવા માત્ર જનતાને?

આ પહેલા 20 એપ્રિલે તેમણે કોલસા સંકટ પર મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, ભારત પાસે માત્ર 8 દિવસનો કોલસાનો ભંડાર છે, મોદીજી, મોંઘવારી ચાલી રહી છે. પાવર કટના કારણે નાના ઉદ્યોગો પડી ભાંગશે, જેના કારણે નોકરીઓનું વધુ નુકસાન થશે. નફરતના બુલડોઝર બંધ કરો અને પાવર પ્લાન્ટ શરૂ કરો!

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુલાઈ-ઓગસ્ટમાં પણ વીજળી સંકટનો સામનો કરવો પડી શકે

ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના ભંડારમાં ચોમાસા પહેલાનો ઘટાડો સૂચવે છે કે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દેશમાં બીજી ઊર્જા કટોકટી ઊભી થઈ શકે છે. સ્વતંત્ર સંશોધન સંસ્થા સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ખાણો પર સ્થિત પાવર સ્ટેશનો પાસે હાલમાં 13.5 મિલિયન ટન કોલસાનો ભંડાર છે અને દેશભરના પાવર પ્લાન્ટ્સમાં 20.7 મિલિયન ટન કોલસાનો ભંડાર છે.

ઓગસ્ટમાં મહત્તમ ઉર્જા માગ 214 GW સુધી પહોંચશે

CREAએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, સત્તાવાર સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલ ડેટા સૂચવે છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ ઊર્જાની માંગમાં સામાન્ય વધારાને પણ ટકી શકે તેવી સ્થિતિમાં નથી અને કોલસાના પરિવહનનું અગાઉથી આયોજન કરવાની જરૂર છે. ઓથોરિટી (CEA)નો અંદાજ ઓગસ્ટમાં મહત્તમ ઉર્જા માગ 214 ગીગાવોટ સુધી પહોંચી જશે, ઉપરાંત મે દરમિયાન સરેરાશ વીજ માગ 13,3426 મિલિયન યુનિટથી પણ વધી શકે છે.

2021-22માં ભારતમાં 777.2 મિલિયન ટન કોલસાનું રેકોર્ડ ઉત્પાદન

ભારતે 2021-22માં 777.2 મિલિયન ટન કોલસાનું વિક્રમી ઉત્પાદન નોંધાવ્યું હતું, જે એક વર્ષ અગાઉના 716 મિલિયન ટનના ઉત્પાદન કરતાં 8.54 ટકા વધુ છે. CREA ના વિશ્લેષક સુનિલ દહિયાએ જણાવ્યું હતું કે 2021-22માં દેશની કુલ ખાણકામ ક્ષમતા 150 મિલિયન ટન હતી, જ્યારે કુલ ઉત્પાદન 777.2 મિલિયન ટન હતું, જે ઉત્પાદન ક્ષમતાના બરાબર અડધું છે.

Published On - 4:23 pm, Wed, 8 June 22

Next Article