
ભારતનું મિશન ચંદ્રયાન-3 (Chandrayaan 3) ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ISROના ચંદ્રયાન-3 મિશનના સોફ્ટ લેન્ડિંગને હવે 48 કલાક બાકી છે, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર છે. સોમવારે ચંદ્રયાન-3 દ્વારા ટ્વીટ કરીને તેની માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. MOX પાસે હવે લેન્ડર મોડ્યુલ સુધી પહોંચવા માટે ઘણાં માર્ગો છે. લેન્ડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
Chandrayaan-3 Mission:
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3
— ISRO (@isro) August 21, 2023
વર્ષ 2019 માં ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા થઈ હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર એક્ટિવ થઈ ગયું છે.
Published On - 3:10 pm, Mon, 21 August 23