AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Chairman S. Somanath Family Tree : ડો. એસ. સોમનાથના નેતૃત્વમાં ચંદ્રયાન-3 લોન્ચ થયું, જાણો તેમના પરિવાર વિશે

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ISROના ચીફ એસ સોમનાથ (S. Somanath)ની આગેવાની હેઠળની ટીમે ભારતને ગર્વ અનુભવવાની બીજી તક આપી છે.

ISRO Chairman S. Somanath Family Tree : ડો. એસ. સોમનાથના નેતૃત્વમાં ચંદ્રયાન-3 લોન્ચ થયું, જાણો તેમના પરિવાર વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 2:21 PM
Share

S. Somanath Family Tree : ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફ આગળ વધ્યું છે, તમામ દેશવાસીઓ તેના પર નજર છે. ઈસરોના વૈજ્ઞાનિકોના હૃદયના ધબકારા વધી ગયા, કેમ ન વધે, ફરી એકવાર આપણું ચંદ્રયાન (Chandrayaan ) ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રયાનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવાર બપોરે 2.25 કલાકે તાળીઓના ગડગડાટ વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું.ઈસરોના ચીફ એસ. સોમનાથે ઈસરોના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમ સાથે આ મિશનનું નેતૃત્વ કર્યું હતું. ગયા વર્ષે જાન્યુઆરીમાં કે સિવનનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમને આ પદ પર એસ સોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Chandrayaan-3 launched under the leadership of Dr. S. Somnath know about his family

સારા પ્રદર્શન માટે તેને ગોલ્ડ મેડલ

ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથનો જન્મ જુલાઈ 1963ના રોજ કેરળના અલપ્પુઝા જિલ્લામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા.તેમનો પ્રારંભિક અભ્યાસ કેરળમાં જ થયો હતો. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે યુનિવર્સિટીના ટોપર્સમાં સામેલ હતા. એસ સોમનાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અહીં તેના સારા પ્રદર્શન માટે તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : K Sivan Family Tree : કોણ છે શિવન? જેમણે Chandrayaan 2ના લોન્ચિંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જાણો તેમના પરિવાર વિશે

ડૉ. એસ. સોમનાથના પત્ની GST વિભાગમાં નોકરી કરે છે, તેમનું નામ વલસાલા કુમારી છે. બંનેના બે બાળકો છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ડૉ.સોમનાથને ફિલ્મો જોવી ગમે છે. હિન્દી શિક્ષક હોવા છતાં, સોમનાથના તેમના પિતાએ તેમના પુત્રના વિજ્ઞાન પ્રત્યેના જુસ્સાને પ્રોત્સાહિત કર્યો અને તેને અંગ્રેજી અને મલયાલમ બંનેમાં વિજ્ઞાનના પુસ્તકો વિશે અભ્યાસ શીખવાડ્યો હતો.

સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ પણ

તેઓ તિરુવનંતપુરમમાં ફિલ્મ સોસાયટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.ડૉ. સોમનાથ સ્પેસક્રાફ્ટ લોન્ચ વ્હીકલ ડિઝાઇન, એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, મિકેનિઝમ, અને એકીકરણમાં નિપુણતા ધરાવે છે. તે ઈસરોના દરેક મિશન પર ચાંપતી નજર રાખે છે.ISRO ચીફની કમાન 14 જાન્યુઆરી 2022ના રોજ ડૉ.સોમનાથને આપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ નિમણૂકની તારીખથી ત્રણ વર્ષનો રહેશે. ઈસરોના વડાની સાથે તેઓ અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ પણ છે. ઈઝરાયેલના વડા તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર હતા.

ડૉ. એસ. સોમનાથને તેમની કારકિર્દીની શરૂઆતમાં સૌપ્રથમ પીએસએલવી એટલે કે ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને GSLV Mk III માટે શ્રેષ્ઠતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">