હિમાચલમાં વરસાદની તબાહીથી કેન્દ્ર સરકાર ચિંતિત, PMએ યોજી બેઠક, અમિત શાહ અને નડ્ડા રાજ્યની મુલાકાતે

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી થયેલી તબાહી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યની સ્થિતિ જાણવા ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી બચાવ કામગીરી અને ત્યાંના લોકોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હિમાચલમાં વરસાદની તબાહીથી કેન્દ્ર સરકાર ચિંતિત, PMએ યોજી બેઠક, અમિત શાહ અને નડ્ડા રાજ્યની મુલાકાતે
Himachal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 4:16 PM

Himachal disaster: હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી પૂર, વરસાદ અને ભૂસ્ખલનની ભયાનક તસવીરો સામે આવી રહી છે. અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે, જેમાં અનેક લોકો દટાયા છે, તો કેટલીક જગ્યાએ આખા મકાનો ધરાશાયી થયા છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે પરંતુ હજુ પણ ઘણા લોકો લાપતા છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની સ્થિતિ જાણવા માટે ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા અને અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી.

હિમાચલની સ્થિતિને લઈને યોજાઈ બેઠક

પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી થયેલી તબાહી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યની સ્થિતિ જાણવા ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી બચાવ કામગીરી અને ત્યાંના લોકોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે રવિવારે હિમાચલની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. નડ્ડા શિમલા અને રાજ્યના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નુકસાનની સમીક્ષા પણ કરશે. કુદરતી આફતના કારણે શુક્રવારે લગભગ 65 મકાનો ધરાશાયી થયા હતા અને 270થી વધુ મકાનોને નુકસાન થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

છેલ્લા 4 દિવસમાં 74 લોકોના મોત

રાજ્યના કેટલાક વિસ્તારો વરસાદ અને ભૂસ્ખલનના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર, છેલ્લા ચાર દિવસમાં કુલ 74 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, હજુ પણ હજારો લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જો આપણે જૂનથી અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો કુદરતી આફતોના કારણે 330 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે હાલમાં રાહતના કોઈ સંકેત આપ્યા નથી. IMDએ હિમાચલના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશની સ્થિતિ જાણવા માટે પીએમ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં રાજનાથ સિંહની સાથે બીજેપી અધ્યક્ષ નડ્ડા પણ સામેલ થયા હતા. રવિવારે નડ્ડા પોતે હિમાચલ પ્રદેશ જશે અને રાજ્યની સમીક્ષા કરશે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">