કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ હસ્તાક્ષર કરાયેલા કોઈપણ કરારના આધારે કંપનીને ભારત સરકાર તરફથી કોઈ નાણાકીય દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રતિબંધ હટાવ્યા બાદ નવેસરથી શરૂઆત કરવી પડશે

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો
Central government lifts ban on Italian company over Rs 3,600 crore VVIP helicopter scam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:02 AM

VVIP Helicopter: એક મહત્વપૂર્ણ પગલામાં, સરકારે રૂ. 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડના સંબંધમાં પ્રતિબંધિત ઇટાલિયન કંપની લિયોનાર્ડો (અગાઉનું ફિનમેકાનિકા) સાથેના વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ANIના અહેવાલ મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું કે કંપની સાથેના વ્યવહાર પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. 

નિર્ણય મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપની વિરુદ્ધ તપાસ ચાલુ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ હસ્તાક્ષર કરાયેલા કોઈપણ કરારના આધારે કંપનીને ભારત સરકાર તરફથી કોઈ નાણાકીય દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રતિબંધ હટાવ્યા બાદ નવેસરથી શરૂઆત કરવી પડશે. 

આ સમયે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

VVIPs માટે ભારતમાં 12 AW-101 હેલિકોપ્ટર સપ્લાય કરવાના રૂ. 3,600 કરોડના સોદામાં યુરોપિયન એજન્સીઓની ભૂમિકા બદલ ભારતે યુપીએ સરકાર દરમિયાન 2013-14માં કંપની સાથેનો સોદો અટકાવી દીધો હતો. કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

જેના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો 

સૂત્રોએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય ઈટાલીની કંપનીની વિનંતીના આધારે અને કાયદા મંત્રાલય અને અન્ય એજન્સીઓ સાથે ચર્ચા કરીને લીધો છે. તે સમયે ભ્રષ્ટાચારનો મામલો માત્ર અગસ્ટા વેસ્ટલેન્ડને લગતો હોવા છતાં, સમગ્ર જૂથ ફિનમેકેનિકા સાથેના કોઈપણ સોદાને રોકી દેવામાં આવ્યા છે. આમાં બ્લેક શાર્ક ટોર્પિડોઝના સોદાનો પણ સમાવેશ થાય છે, જેને ભારતીય નૌકાદળ દ્વારા હસ્તગત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 

તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગના સંબંધમાં રૂ. 3,600 કરોડના VVIP ચોપર ડીલ કેસમાં આરોપી રાજીવ સક્સેનાની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ડીલ કેસમાં કથિત મધ્યસ્થ સક્સેના દુબઈમાં રહેતો હતો અને તેને 31 જાન્યુઆરી, 2019ના રોજ ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત (UAE)થી દેશમાં લાવવામાં આવ્યો હતો અને આ કેસમાં એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. 2014માં ભારતે લાંચ લેવાના આરોપો સામે આવ્યા બાદ VVIP હેલિકોપ્ટર ડીલ રદ કરી હતી.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">