AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter પર કેન્દ્ર સરકાર સખ્ત, આ આદેશનું પાલન ન કરવા બદલ પાઠવી નોટિસ

ભારત સરકારે ખેડૂતોના વિરોધનો ફાયદો ઉઠાવનારા અને તોફાન ફેલાવવાની કોશિષ કરી રહેલા હેન્ડલ પર રોક લગાવવાના આદેશનું પાલન ન કરવા બદલ Twitter ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.  

Twitter પર કેન્દ્ર સરકાર સખ્ત, આ આદેશનું પાલન ન કરવા બદલ પાઠવી નોટિસ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 03, 2021 | 5:00 PM

ભારત સરકારે ખેડૂતોના વિરોધનો ફાયદો ઉઠાવનારા અને તોફાન ફેલાવવાની કોશિષ કરી રહેલા હેન્ડલ પર રોક લગાવવાના આદેશનું પાલન ન કરવા બદલ Twitter ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.  ખેડૂતોના નરસંહાર( Farmer Genocide)વાળા હેશટેગમાં ટવીટ કરનારા ટવીટર એકાઉન્ટને પુન ચાલુ કરવા બદલ સરકારે નોટિસ પાઠવી છે. ટ્વીટર પર ModiPlanningFarmerGenocide નામથી હેશટેગ ચલાવવામાં આવ્યો હતો. સરકારે આવા Twitter એકાઉન્ટને બંધ કરવા માટે આદેશ આપ્યા હતા. જેની બાદ આવા ટવીટર એકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવી હતી. જેને ફરી એકવાર ચાલુ  કરી દેવામાં આવ્યા છે. જો કે હાલ ટ્વીટરે સરકારનો આદેશ માનવો પડશે. આમ નહીં કરે તો ટ્વીટર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

આ નોટિસ આઈટી મંત્રાલય તરફથી આપવામાં આવી છે. સોમવારે આઈટી મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશ મુજબ 250 ટ્વીટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે. જો કે તેની બાદ તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા હતા. તેની બાદ તેને ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા. મંત્રાલય તરફથી આ સબંધમાં 5 પેજની નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્વીટર પર જે હેશટેગ ચલાવવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ હિંસા ફેલાવવાનો હતો. તેમજ તણાવ ઉભો કરવામાં આ કેમ્પેઈનને જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યો છે. આ રીતે કેમ્પેઈન કાનૂન વ્યવસ્થા માટે ખતરો પણ ગણવામાં આવી રહ્યું હતું.

શનિવારે ટ્વીટર પર પીએમ મોદી પ્લાનિંગ ફાર્મર જીનોસાઈટ નામથી હેશટેગ ચાલી રહ્યો હતો. આ દરમ્યાન વિદેશથી ચાલી રહેલા અનેક એકાઉન્ટમાં આ ટ્વીટ કરવામાં આવ્યા હતા. જે ટ્વીટર હેન્ડલ પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું કે તેમાં કેટલાક ખેડૂત નેતાઓના એકાઉન્ટ પણ હતા. કિસાન એકતા મોરચો, કારવાં મેગેઝીન,એક્ટર સુશાંતસિંહ અને સીપીએમના પૂર્વ સાંસદ મોહમ્મદ સલીમના ટ્વીટર એકાઉન્ટ પણ સામેલ છે. આઈટી મંત્રાલયે ટ્વીટરને અંદાજે 250 ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે પીએમ મોદી વિરુદ્ધ હેશટેગનો ઉપયોગ કરીને આપત્તિજનક અને ભડકાઉ ટ્વીટસ કરી રહ્યાં હતા.

આ પણ વાંચો: એવું તો શું છે એક ટી-શર્ટને કારણે CHINA અને CANADA વચ્ચે વધી ગયો તણાવ? વાંચો આ પોસ્ટ

g clip-path="url(#clip0_868_265)">