Vaccination : કેન્દ્ર સરકારે જાહેર કરી કોરોના રસીકરણની નવી માર્ગદર્શિકા, થયા આ બદલાવ

પીએમ મોદીની જાહેરાતના એક દિવસ બાદ જ ભારત સરકારે Corona રસીકરણ(Vaccination)અભિયાન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી(Vaccine)ખરીદશે અને તે રાજ્યોને વિના મૂલ્યે આપશે.

Vaccination : કેન્દ્ર સરકારે જાહેર કરી કોરોના રસીકરણની નવી માર્ગદર્શિકા, થયા આ બદલાવ
કેન્દ્ર સરકારે જાહેર કરી કોરોના રસીકરણની નવી માર્ગદર્શિકા
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 3:12 PM

પીએમ મોદીની જાહેરાતના એક દિવસ બાદ જ ભારત સરકારે Corona રસીકરણ(Vaccination)અભિયાન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી(Vaccine)ખરીદશે અને તે રાજ્યોને વિના મૂલ્યે આપશે. જો કે ખાનગી હોસ્પિટલો માટે રસીના ભાવ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવશે.

આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

રાજ્યો કેન્દ્રમાંથી જે રસી(Vaccine) મેળવશે તે મુજબ રાજ્ય સરકારો રસીઓને જિલ્લાઓમાં વહેંચશે. અહીં આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે અને તે પછી જેમને બીજો ડોઝ લેવાનો છે તેમને પસંદગી આપવામાં આવશે.

રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશે

નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસીકરણ(Vaccination)ની પ્રાયોરિટી છેલ્લે રહેશે. જેમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસી માટે રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશે. આમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વસ્તી, રોગનો ફેલાવો અને રસીકરણની પ્રગતિના આધારે રસી(Vaccine)ના  ડોઝ ફાળવશે.આ રસીના રાજ્યમાં બગાડની ફાળવણી પર નકારાત્મક અસર પડશે.

કેન્દ્ર રાજ્ય સરકારને રસી ફાળવણીની અગાઉથી જાણ કરશે

સરકાર દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર રાજ્ય સરકારને અગાઉથી જાણ કરશે કે કેટલા ડોઝ મળવાના છે. આ ઉપરાંત રાજ્ય સરકારો જિલ્લાઓમાં રસીનું વિતરણ કરશે અને આખરે જિલ્લાઓ અને રસીકરણ કેન્દ્રો દ્વારા લોકોને જાહેર કરવામાં આવશે જેથી લોકોને કોઈ તકલીફ ન પડે.

નવી નીતિ મુજબ રાજ્યો હવે આ રસી ખરીદશે નહીં

આ પૂર્વે જૂની નીતિ મુજબ કેન્દ્ર સરકાર રસીનો 50 ટકા હિસ્સો ખરીદતી હતી. પરંતુ હવે તે 75 ટકા ખરીદી કરશે. જૂની નીતિ મુજબ 25 ટકા રાજ્યોએ આ રસી ખરીદવી પડી હતી. પરંતુ નવી નીતિ મુજબ રાજ્યો હવે આ રસી ખરીદશે નહીં. જોકે, ખાનગી હોસ્પિટલો માટે નવી નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવી નીતિ મુજબ શું બદલાશે 

1. કેન્દ્ર સરકાર પ્રાધાન્યતા જૂથ અને 45+ વય જૂથો માટે 50 ટકા ડોઝ ખરીદતી હતી, પરંતુ 50 ટકાને બદલે 75 ટકા રસી વિના મૂલ્યે આપવામાં આવશે. આ અંતર્ગત 18+ લોકોને વિના મૂલ્યે રસી પણ આપવામાં આવશે.

2.1 મે ​​સુધી રાજ્યોએ 18+ લોકો માટે રસી બજારમાંથી ખરીદવી પડી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર રાજ્યોને વિના મૂલ્યે આ રસી પણ આપશે.

3 . 45+ વયના લોકોને વિના મૂલ્યે રસી લેવાનો લાભ મળતો રહેશે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવવા માટે પહેલાની જેમ પૈસા ચૂકવવા પડશે.

4. 21 જૂનથી 18-44 વર્ષની વયના લોકો સરકારી કેન્દ્રો પર વિના મૂલ્યે રસી મેળવી શકશે. જો કે, ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચૂકવવા પડશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">