AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Centre on Article 370: કેન્દ્ર સરકારે જણાવ્યું કેમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી 370ની કલમ, SCમાં દાખલ કર્યુ એફિડેવિટ

કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું કે આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે.

Centre on Article 370: કેન્દ્ર સરકારે જણાવ્યું કેમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી 370ની કલમ, SCમાં દાખલ કર્યુ એફિડેવિટ
Supreme court (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:26 PM
Share

Centre on Article 370: કલમ 370 હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે આજે એફિડેવિટ દાખલ જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેને ખતમ કરવા માટે કલમ 370 હટાવવાનો એકમાત્ર ઉપાય છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદ સામે ઘાટીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.

કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું કે આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદી-અલગતાવાદી એજન્ડા હેઠળ વર્ષ 2018માં સંગઠિત પથ્થર ફેંકવાની 1767 ઘટનાઓ બની હતી, જે 2023માં શૂન્ય છે.

આ પણ વાંચો: Breaking News: ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીની તારીખોનું એલાન, 6 ઓગષ્ટે થશે મતદાન અને 8 ઓગષ્ટે આવશે પરિણામ

ખીણમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો- કેન્દ્ર સરકાર

કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં 52 બંધ અને હડતાલ કરવામાં આવી હતી, જે ઘણા દિવસો સુધી ચાલી હતી અને વર્ષ 2023માં અત્યાર સુધીમાં શૂન્ય છે. કેન્દ્રએ કહ્યું કે ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીનું પરિણામ જોવા મળ્યું છે, જેના કારણે તેમની ઈકો-સિસ્ટમને મોટો ફટકો પડ્યો છે. સરકારે કહ્યું કે ઘાટીમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2018માં આ આંકડો 199 હતો, જે વર્ષ 2023 સુધીમાં ઘટીને 12 થઈ ગયો છે.

ખીણ માટે 78 હજાર કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ

કેન્દ્રએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ખીણમાં જનતાના ભલા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રએ ઘાટીમાં ઔદ્યોગિક વિકાસ માટે 28,400 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું. આ સાથે ઘાટી માટે 78 હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ પણ મળ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">