Centre on Article 370: કેન્દ્ર સરકારે જણાવ્યું કેમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી 370ની કલમ, SCમાં દાખલ કર્યુ એફિડેવિટ

કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું કે આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે.

Centre on Article 370: કેન્દ્ર સરકારે જણાવ્યું કેમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી 370ની કલમ, SCમાં દાખલ કર્યુ એફિડેવિટ
Supreme court (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:26 PM

Centre on Article 370: કલમ 370 હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે આજે એફિડેવિટ દાખલ જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેને ખતમ કરવા માટે કલમ 370 હટાવવાનો એકમાત્ર ઉપાય છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદ સામે ઘાટીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.

કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું કે આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદી-અલગતાવાદી એજન્ડા હેઠળ વર્ષ 2018માં સંગઠિત પથ્થર ફેંકવાની 1767 ઘટનાઓ બની હતી, જે 2023માં શૂન્ય છે.

આ પણ વાંચો: Breaking News: ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીની તારીખોનું એલાન, 6 ઓગષ્ટે થશે મતદાન અને 8 ઓગષ્ટે આવશે પરિણામ

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ખીણમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો- કેન્દ્ર સરકાર

કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં 52 બંધ અને હડતાલ કરવામાં આવી હતી, જે ઘણા દિવસો સુધી ચાલી હતી અને વર્ષ 2023માં અત્યાર સુધીમાં શૂન્ય છે. કેન્દ્રએ કહ્યું કે ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીનું પરિણામ જોવા મળ્યું છે, જેના કારણે તેમની ઈકો-સિસ્ટમને મોટો ફટકો પડ્યો છે. સરકારે કહ્યું કે ઘાટીમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2018માં આ આંકડો 199 હતો, જે વર્ષ 2023 સુધીમાં ઘટીને 12 થઈ ગયો છે.

ખીણ માટે 78 હજાર કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ

કેન્દ્રએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ખીણમાં જનતાના ભલા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રએ ઘાટીમાં ઔદ્યોગિક વિકાસ માટે 28,400 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું. આ સાથે ઘાટી માટે 78 હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ પણ મળ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">