CDS Rawat Helicoper Crash: બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? આવતીકાલે રક્ષા મંત્રીને સોંપવામાં આવશે રિપોર્ટ

તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરી રહ્યા છે અને તેમાં આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

CDS Rawat Helicoper Crash: બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? આવતીકાલે રક્ષા મંત્રીને સોંપવામાં આવશે રિપોર્ટ
CDS Bipin Rawat Helicopter Crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:10 PM

CDS જનરલ બિપિન રાવતના (CDS General Bipin Rawat) હેલિકોપ્ટર ક્રેશ કેસની (Helicopter Crash) તપાસનો રિપોર્ટ બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપવામાં આવશે. ભારતીય વાયુસેનાના (Indian Air Force) નેતૃત્વમાં આ મામલાની તપાસ કરી રહેલી ટ્રાઇ-સર્વિસ ઇન્વેસ્ટિગેશન ટીમ બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને (Rajnath Singh) રજૂઆત કરશે અને તેનો રિપોર્ટ સુપરત કરશે.

તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 12 સૈનિકો 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ પછી એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરી રહ્યા છે અને તેમાં આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે રક્ષા મંત્રીને પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે, મામલાની તપાસ કરી રહેલી ટ્રાઈ-સર્વિસ ટીમે વરિષ્ઠ અધિકારીઓને લઈ જતા હેલિકોપ્ટરની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયામાં સુધારો કરવાની પણ ભલામણ કરી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

પહેલા ખરાબ હવામાનને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું હતું

તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બરે જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 આર્મી ઓફિસર Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા. આ તમામ લોકો વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા, અહીં પહોંચવાની થોડી મિનિટો પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.

જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃત્યુની માહિતી વાયુસેનાએ સાંજે 6.03 કલાકે આપી હતી. આ પછી, ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા. કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.

જો કે એરફોર્સનો તપાસ અહેવાલ બહાર આવ્યા બાદ જ અકસ્માતનું નક્કર કારણ બહાર આવશે. તે જ સમયે, અકસ્માતની તપાસના આદેશ આપ્યા બાદ બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું. બ્લેક બોક્સને ફ્લાઈટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. બ્લેક બોક્સની રિકવરી સાથે માનવામાં આવી રહ્યું હતું કે આ કેસમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.

આ પણ વાંચો : Corona Virus: અમે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય માળખા અને તૈયારીની સમીક્ષા કરી રહ્યા છીએ: મનસુખ માંડવિયા

આ પણ વાંચો : Assembly Elections: 2022ના ચૂંટણી ઢંઢેરા માટે ભાજપે જનતા પાસેથી માંગ્યા સૂચનો, કહ્યું- જરૂરિયાતોને સમજવામાં કરશે મદદ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">