CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. તમામ મૃતદેહોની ઓળખ DNA તપાસથી કરવામાં આવશે.તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. બોર્ડમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને કેટલાક અન્ય સેના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. ક્રેશ થતાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
तमिलनाडु में सैन्य हेलिकॉप्टर दुर्घटना में शामिल 14 में से 13 कर्मियों की मृत्यु की पुष्टि हो गई है। DNA टेस्टिंग के जरिए सभी शवों की पहचान की जाएगी: सूत्र
— ANI_HindiNews (@AHindinews) December 8, 2021
બીજી તરફ એવી પણ માહિતી છે કે બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતના પરિવારજનોને ફોન કરીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
કેવી રીતે થયો હતો અકસ્માત?
ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે તેની પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામની યાદી
Published On - 5:01 pm, Wed, 8 December 21