AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણનો પેચ ફસાયો, કોકડું ઉકેલવા દિલ્હીમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ધામા

Karnataka Cabinet Expansion કર્ણાટકમાં, સીએમ અને ડેપ્યુટી સીએમ અંગેની ખેંચતાણ ઉકેલાઈ ગયા બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને મતભેદો ઉભા થયા છે. ઉકેલ શોધવા માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી પહોંચી ગયા છે.

કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણનો પેચ ફસાયો, કોકડું ઉકેલવા દિલ્હીમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ધામા
Siddaramaiah-Shivkumar (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:57 PM
Share

કર્ણાટકમાં નવી સરકાર બન્યા બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર બંનેએ ગઈકાલથી દિલ્હીમાં અડીંગો જમાવ્યો છે. સૂત્રોનું માનીએ તો, કર્ણાટક કેબિનેટ વિસ્તરણની કવાયત પણ 19 મેના રોજ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેના કોને લેવા અને કોને ના લેવા તે મામલે ભારે મતભેદોને કારણે કેબિનેટ વિસ્તરણની કવાયત આગળ વધી શકી ન હતી. જે બાદ હવે કેબિનેટ વિસ્તરણની કવાયતનો મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડની કોર્ટમાં આવી ગયો છે.

કર્ણાટકમાં સિદ્ધારમૈયા કેબિનેટમાં હાલમાં 8 મંત્રીઓ છે. અત્યારે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમના જૂથના ધારાસભ્યોની સંખ્યા કેબિનેટમાં વધુ હોય જેથી નિર્ણય લેવામાં અને સરકાર ચલાવવામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે.

ગઈકાલ એટલે કે બુધવારથી દિલ્હીમાં ધામા નાખી ચૂકેલા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરશે. રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. ખડગેને મળ્યા પહેલા સીએમ સિદ્ધારમૈયા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

8 મંત્રીઓને હજુ પોર્ટફોલિયો મળ્યો નથી

20 મેના રોજ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના શપથ ગ્રહણ બાદ, મંત્રીઓના ખાતાની હજુ સુધી વહેંચણી કરવામાં આવી નથી. જે આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી, બીઝેડ જમીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પ્રિયંક ખડગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. પ્રિયંક કલબુર્ગી જિલ્લાની ચિતાપુર બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે.

યુટી ખાદર વિધાનસભાના સ્પીકર બન્યા

ભૂતપૂર્વ પ્રધાન અને પાંચ વખત ધારાસભ્ય પદે ચૂંટાયેલા યુટી ખાદરને બુધવારે કેબિનેટ પ્રધાનો પરના ઝઘડા વચ્ચે સર્વસંમતિથી કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ખાદર કર્ણાટકની મેંગલુરુ સીટના ધારાસભ્ય છે. ખાદરને સ્પીકર બનાવ્યા પછી, સીએમ સિદ્ધારમૈયાએ તેમને ઉત્સાહી અને સક્રિય નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમની બિનસાંપ્રદાયિક માનસિકતા તેમને કોઈપણ પક્ષ પ્રત્યે પક્ષપાત કર્યા વિના કામ કરવામાં મદદ કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">