Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?

દેશનુ ત્રીજીવાર અંદાજપત્ર (Budget) રજુ કરતા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે,(Nirmala Sitharaman) આજે એવી કેટલીક નવી જાહેરાતો કરી છે કે જે પહેલીવાર કરવામાં આવી છે. જાણો નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજુ કરતા સમયે પહેલીવાર કરેલી જાહેરાત.

Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 2:39 PM

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે, (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021 અને 22 માટેનું અંદાજપત્ર ( Budget ) રજૂ કર્યું હતું. જેમાં તેમણે કેટલીક એવી જાહેરાતો કરી હતી કે જે પ્રથમવાર જ અમલમાં આવી રહી હોય. આ વર્ષે કોરોનાને કારણે પેપરલેસ અંદાજપત્ર રજુ કરાયું હતું. દર વર્ષે નાણાં પ્રધાન બ્રિફકેસમાં અંદાજપત્ર લઈને સંસદમાં પ્રવેશતા હોય છે. પરંતુ પેપરલેસ બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ, બ્રિફકેસના બદલે ટેબ્લેટ સાથે સંસદમાં પ્રવેશ્યા હતા.

નાણાંકીય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે, એવી જાહેરાત કરી હતી કે, દેશમાં સૌ પ્રથમવાર ઓનલાઈન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. દર દશ વર્ષે હાથ ધરાતી વસ્તી ગણતરીમાં ઘરે ઘેર ચોપડો લઈને કર્મચારી આવે છે જે ચોપડાના કાગળ ઉપર લોકોના નામ લખીને વસ્તીપત્રક ભરતા હોય છે.

જમ્મુ કાશ્મિર રાજ્યમાંથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવેલ લદ્દાખ-લેહમાં સૌ પ્રથમ યુનિવર્સિટી બનશે. અંદાજપત્ર રજુ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે, નવા જ બનાવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લેહની યુનિવસિર્ટી પણ પ્રથમવાર જ અસ્તિત્વમાં આવશે.

દેશમાં કર ભરનારા કરદાતાઓની સંખ્યા વધી છે. કોરોના કાળ હોવા છતા, આ વર્ષે કરદાતાઓની સંખ્યા વધીને, 6 કરોડ 48 લાખ થઈ છે. આ સંખ્યા પહેલીવાર 6 કરોડ 48 લાખે પહોચી છે. તો 75 વર્ષની ઉપરની વ્યક્તિઓને કર ભરવામાથી મુક્તિ આપવામાં આવી છે.

અવકાશ ક્ષેત્રે ભારતે મોટી હરણફાળ ભરી છે. ઈસરો દ્વારા અવનવા મિશન હાથ ધરાયા છે. અવકાશમાં સૌ પ્રથમવાર માનવરહીત યાન મોકલવા માટે, નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. અવકાશમાં માનવરહીત યાન મોકલવા માટે ઈસરો સફળ નિવડશે.

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ દેશના કામદારોને આવરી લેવા માટે પણ પ્રથમવાર પ્રયાસ કરાયો છે. અંદાજપત્ર રજૂ કરતા નાણાં પ્રધાને એવુ જણાવ્યુ હતુ કે, દેશના વિવિધ ક્ષેત્રના કામદારોને કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા સરકારે પૂરતી નાણાંકીય ફાળવણી કરી છે.

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ