Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?

દેશનુ ત્રીજીવાર અંદાજપત્ર (Budget) રજુ કરતા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે,(Nirmala Sitharaman) આજે એવી કેટલીક નવી જાહેરાતો કરી છે કે જે પહેલીવાર કરવામાં આવી છે. જાણો નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજુ કરતા સમયે પહેલીવાર કરેલી જાહેરાત.

Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 2:39 PM

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે, (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021 અને 22 માટેનું અંદાજપત્ર ( Budget ) રજૂ કર્યું હતું. જેમાં તેમણે કેટલીક એવી જાહેરાતો કરી હતી કે જે પ્રથમવાર જ અમલમાં આવી રહી હોય. આ વર્ષે કોરોનાને કારણે પેપરલેસ અંદાજપત્ર રજુ કરાયું હતું. દર વર્ષે નાણાં પ્રધાન બ્રિફકેસમાં અંદાજપત્ર લઈને સંસદમાં પ્રવેશતા હોય છે. પરંતુ પેપરલેસ બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ, બ્રિફકેસના બદલે ટેબ્લેટ સાથે સંસદમાં પ્રવેશ્યા હતા.

નાણાંકીય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે, એવી જાહેરાત કરી હતી કે, દેશમાં સૌ પ્રથમવાર ઓનલાઈન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. દર દશ વર્ષે હાથ ધરાતી વસ્તી ગણતરીમાં ઘરે ઘેર ચોપડો લઈને કર્મચારી આવે છે જે ચોપડાના કાગળ ઉપર લોકોના નામ લખીને વસ્તીપત્રક ભરતા હોય છે.

જમ્મુ કાશ્મિર રાજ્યમાંથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવેલ લદ્દાખ-લેહમાં સૌ પ્રથમ યુનિવર્સિટી બનશે. અંદાજપત્ર રજુ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે, નવા જ બનાવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લેહની યુનિવસિર્ટી પણ પ્રથમવાર જ અસ્તિત્વમાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશમાં કર ભરનારા કરદાતાઓની સંખ્યા વધી છે. કોરોના કાળ હોવા છતા, આ વર્ષે કરદાતાઓની સંખ્યા વધીને, 6 કરોડ 48 લાખ થઈ છે. આ સંખ્યા પહેલીવાર 6 કરોડ 48 લાખે પહોચી છે. તો 75 વર્ષની ઉપરની વ્યક્તિઓને કર ભરવામાથી મુક્તિ આપવામાં આવી છે.

અવકાશ ક્ષેત્રે ભારતે મોટી હરણફાળ ભરી છે. ઈસરો દ્વારા અવનવા મિશન હાથ ધરાયા છે. અવકાશમાં સૌ પ્રથમવાર માનવરહીત યાન મોકલવા માટે, નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. અવકાશમાં માનવરહીત યાન મોકલવા માટે ઈસરો સફળ નિવડશે.

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ દેશના કામદારોને આવરી લેવા માટે પણ પ્રથમવાર પ્રયાસ કરાયો છે. અંદાજપત્ર રજૂ કરતા નાણાં પ્રધાને એવુ જણાવ્યુ હતુ કે, દેશના વિવિધ ક્ષેત્રના કામદારોને કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા સરકારે પૂરતી નાણાંકીય ફાળવણી કરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">