મુસ્લિમો પ્રત્યેનો નકારાત્મક અભિગમ ક્યારે બદલાશે ? ભાગવતની મસ્જિદ મુલાકાત પર માયાવતીનો ટોણો

|

Sep 23, 2022 | 3:09 PM

સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને વધુ મજબૂત કરવા માટે આરએસએસ પ્રમુખ મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ બેઠક બાદ બસપા પ્રમુખે ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે.

મુસ્લિમો પ્રત્યેનો નકારાત્મક અભિગમ ક્યારે બદલાશે ? ભાગવતની મસ્જિદ મુલાકાત પર માયાવતીનો ટોણો
માયાવતી
Image Credit source: PTI

Follow us on

BSP Leader Mayawati : આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) હાલમાં મસ્જિદમાં જઈ મુસ્લિમ બૌદ્ધિકો સાથે મુલાકાત કરી હતી. તેની આ મુલાકાત રાજકીય રંગ લઈ રહી છે. ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યપ્રધાન અને બસપા પ્રમુખ માયાવતીએ (Mayawati) આના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોહન ભાગવતના આ પગલાથી મુસ્લિમો પ્રત્યે ભાજપના નકારાત્મક વલણ અને વર્તનમાં શું બદલાવ આવશે? સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને વધુ મજબૂત કરવા માટે આરએસએસ પ્રમુખ મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહ્યા છે.

મોહન ભાગવતે તાજેતરમાં દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે ભાગવતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહ અને પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી અને બિઝનેસમેન સઈદ શેરવાની સાથે પણ મુલાકાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

 

માયાવતીએ ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા કાલે દિલ્હીમાં આવેલી મસ્જિદ, મદરેસામાં જઈ મુલાકાત કરી હતી.

ભાગવત ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાને મળ્યા હતા

ભાગવતને મળ્યા પછી, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઉમર અહમદ ઇલ્યાસીએ તેમને રાષ્ટ્રના પિતા અને રાષ્ટ્રના ઋષિ ગણાવ્યા. મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની એક મસ્જિદની મુલાકાત કરી હતી. આ પછી, ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાએ તેમને રાષ્ટ્ર પતિા કહ્યા અને કહ્યું કે, આપણે બધા માનીએ છીએ કે રાષ્ટ્ર સર્વોપરી છે. સંઘ પ્રમુખ ભાગવત ટૂંક સમયમાં કાશ્મીરના મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરશે. આરએસએસ વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે સતત ચર્ચામાં છે. બેઠક બાદ બુદ્ધિજીવીઓ વિવિધ સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા છે.

નફરત ફેલાવનારાઓને સંદેશ – ભાગવતને મળ્યા બાદ શાહિદ સિદ્દીકી

શાહિદ સિદ્દીકીએ વધુમાં કહ્યું કે, “આપણે સમાજની અંદર એક પુલ બનાવવાની જરૂર છે. જે લોકો નફરત ફેલાવવાનું કામ કરે છે, તેમની સામે ઊભા રહેવાની જરૂર છે. સમાજમાં અમારું પણ સન્માન છે. આપણા લોકોએ પણ આ સમાજને ઘણું આપ્યું છે. તેમણે કહ્યું, “ભાગવત સાથે અમારી મુલાકાત સકારાત્મક રહી. આ બેઠક ઉશ્કેરણીજનક ભાષણ આપનારાઓને પણ સંદેશ આપશે, જેઓ રાજકારણ માટે સમાજમાં નફરત પેદા કરે છે.

Next Article