BSFએ માનવતાનો દાખલો બેસાડ્યો, બાંગ્લાદેશમાં રહેતી દીકરીને ભારતમાં રહેતી માતાના અંતિમ દર્શન કરાવ્યા

|

Apr 04, 2022 | 2:23 PM

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આંતરરાષ્ટ્રીય સરહદની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સરહદના રહેવાસીઓના ભાવનાત્મક અને સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે. આ ક્રમમાં બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની (Indo-Bangladesh Border) સુરક્ષામાં તૈનાત BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

BSFએ માનવતાનો દાખલો બેસાડ્યો, બાંગ્લાદેશમાં રહેતી દીકરીને ભારતમાં રહેતી માતાના અંતિમ દર્શન કરાવ્યા
Bsf Bangladesh Humanity

Follow us on

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આંતરરાષ્ટ્રીય સરહદની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સરહદના રહેવાસીઓના ભાવનાત્મક અને સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે. આ ક્રમમાં બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની (Indo-Bangladesh Border) સુરક્ષામાં તૈનાત BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. બાંગ્લાદેશમાં રહેતી દીકરીઓને ભારતમાં રહેતી માતાના અવસાન બાદ તેઓએ માત્ર માનવતાનો ધર્મ જ નિભાવ્યો નથી પરંતુ ફરી એકવાર ‘જીવન પ્રત્યેની ફરજ’નું સૂત્ર પુરવાર કર્યું છે.

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના સરહદી ગામ મટિયારીના રહેવાસી સુકુર મંડલે અહીં તૈનાત 54મી કોર્પ્સની બોર્ડર પોસ્ટ બાનપુરના કંપની કમાન્ડરને જણાવ્યું કે, તેની માતા રોહટન બીબીનું અવસાન થયું છે. તેની બે બહેનો સરહદ પાર બાંગ્લાદેશમાં રહે છે.

છેલ્લી મુલાકાત માટે BSFએ કરી વ્યવસ્થા

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારની છે જ્યારે 3 એપ્રિલ, 2022ના રોજ આવો સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો. સરહદી ગામ મટિયારીના રહેવાસી સુકુર મંડલે અહીં તૈનાત 54મી કોર્પ્સની બોર્ડર પોસ્ટ બાનપુરના કંપની કમાન્ડરને જણાવ્યું કે તેની માતાનું નિધન થઈ ગયું છે. તેની બે બહેનો સરહદ પાર બાંગ્લાદેશમાં રહે છે. તેણે બીએસએફને વિનંતી કરી કે જો તેની બહેનોને તેમની માતાની અંતિમ ઝલક મળશે તો તેઓ ખૂબ જ ખુશ થશે. આ પછી, કંપની કમાન્ડરે તેમની વાત સાંભળ્યા પછી માનવતાવાદી અને ભાવનાત્મક પાસાને ધ્યાનમાં રાખીને કોઈપણ વિલંબ કર્યા વિના આ સંબંધમાં તરત જ તેમના સમકક્ષ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) નો સંપર્ક કર્યો. BSFની વિનંતી બાદ BGB પણ માનવતાવાદી અભિગમને ધ્યાનમાં લઈને આગળ વધ્યું. આથી બંને દેશોના સીમા સુરક્ષા દળોએ પરસ્પર સહયોગને ધ્યાનમાં રાખીને માનવતાને સર્વોપરી રાખીને બાંગ્લાદેશમાં રહેતી બંને દિકરીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ઝીરો લાઇન પર માતાના અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. આ રીતે બંને દીકરીઓની માતાના અંતિમ દર્શન શક્ય બન્યા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

છેલ્લી મુલાકાત સમયે, વાતાવરણ ગમગીન બની ગયું હતું

તે જ સમયે, જ્યારે બંને પુત્રીઓએ તેમની માતાના અંતિમ દર્શન કર્યા, ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું. સાથે જ અંતિમ દર્શન કર્યા બાદ બંને પુત્રીઓ અને પુત્રએ સીમા સુરક્ષા દળની આ પહેલ બદલ હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તમારા લોકોની માનવતાના કારણે અમને અમારી માતાના અંતિમ દર્શન થયા છે. આજે અમે અમારી માતાના અંતિમ દર્શન નહીં કરી શકીયા હોત તો અમે આખી જિંદગી અમારી જાતને માફ કરી ન કરી શકત.

આ પણ વાંચો: ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: SSC CGL Admit Card 2021: SSC CGL એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, ssc.nic.in પરથી કરો ડાઉનલોડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article