ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન સરહદ પર જ્યારે સામસામે લડી રહ્યા હતા બે સગા ભાઈઓ, મોટા ભાઈની ગોળીથી ઘાયલ થયો નાનો ભાઈ
ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા ત્યારે માત્ર વસ્તુઓ જ નહીં પરંતુ કેટલાક પરિવારોને પણ અલગ થવુ પડ્યુ હતુ. વર્ષોથી સાથે રહેતા પરિવારોની વચ્ચે પણ બે સરહદોની નિયંત્રણ રેખા ખેંચાઈ ગઈ હતી. આજે આવા જ બે ભાઈની વાત કરવી છે, જે બંને જન્મ્યા તો એક માની કૂખે હતા. બંને સેનામાં ફરજ બજાવતા હતા પરંતુ ભાગલા બાદ એક ભાઈએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યુ. વિધિની વક્રતા એ હતી જ્યારે પ્રથમવાર ભારત પાકિસ્તાનુ યુદ્ધ થયુ તો આ બંને ભાઈઓ સામસામે આવી ગયા અને લોહીના સંબંધો સામે દેશભક્તિએ માતૃભૂમિની લાજ રાખી લીધી.

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. પરંતુ આ પહેલા પણ બંને દેશો ઓછામાં ઓછી ચાર વાર એકબીજા સામે ટકરાઈ ચુક્યા છે. આવી જ એક કહાની છે 1965ના એ યુદ્ધની. જેમા ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. જો કે આ યુદ્ધ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી હતી જે સહુ કોઈને બે ઘડી માટે વિચારતા કરી મુકે. ભારત પાકિસ્તાનના 1947ના ભાગલા બાદ સૈન્ય અધિકારીઓને પણ ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ એક દેશની સેના પસંદ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. આ કહાની છે સાહિબજાદા યુનુસ ખાન અને સાહિબજાદા યાકુબ ખાનની. બંને રામપુરના એક શાહી પરિવારના સંતાનો હતો. આ બંને એક મા ની કૂખે જન્મેલા સગા ભાઈઓ હતો. આ બંને ભાઈઓએ સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન ભારતીય સેનામાં સેવા બજાવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ...