AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાલિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે કુસ્તીબાજોનું આંદોલન, માથુ કાપવાની કરી રહ્યા છે વાત: બ્રિજ ભૂષણ

બ્રિજભૂષણ શરણ સિંહે આરોપ લગાવ્યો છે કે, કુસ્તીબાજોનું આંદોલન હવે ખાલિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. તે જ સમયે, કુસ્તીબાજોએ જાહેરાત કરી છે કે તેઓ 28 મેના રોજ સંસદની બહાર મહાપંચાયત કરશે.

ખાલિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે કુસ્તીબાજોનું આંદોલન, માથુ કાપવાની કરી રહ્યા છે વાત: બ્રિજ ભૂષણ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:23 PM
Share

Delhi: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે કુસ્તીબાજો જંતર-મંતર પર લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. રેસલર અને બ્રિજ ભૂષણ શરણ સિંહ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. હવે બ્રિજ ભૂષણ સિંહે આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્રિજ ભૂષણનો આરોપ છે કે કુસ્તીબાજોનું આંદોલન ખાલિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાચો: વિનેશ ફોગાટ મારા માટે મંથરા.., બ્રિજ ભૂષણે કુસ્તીબાજો પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- આ બધુ એક કાવતરું

યુપીના બલરામપુરમાં બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે આંદોલનકારી કુસ્તીબાજો હવે માથુ કાપવાની ભાષા બોલી રહ્યા છે. મારે પૂછવું છે કે શું કોંગ્રેસ કે ખેડૂત નેતાઓ બજરંગ પુનિયાના માથુ કાપવાના નિવેદનનું સમર્થન કરશે? તેમણે કહ્યું કે કુસ્તીબાજોના આંદોલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નારા લગાવવામાં આવે છે. ભૂષણે જાહેરાત કરી છે કે 5 જૂને અયોધ્યામાં 11 લાખ લોકો એકઠા થશે.

28 મેના રોજ સંસદ પર મહાપંચાયત કરશે કુસ્તીબાજો

આ સાથે જ કુસ્તીબાજોએ પણ આંદોલનને લઈને આજે પત્રકાર પરિષદ યોજી હતી. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ 28 મેના રોજ સંસદમાં મહાપંચાયત યોજશે. જો કે દિલ્હી પોલીસ તરફથી મહાપંચાયતની પરવાનગી હજુ મળવાની બાકી છે. વિનેશ ફોગાટે કહ્યું કે જો બ્રિજ ભૂષણ તે દિવસે સંસદમાં હશે તો દેશને આપમેળે સંદેશ જશે. બીજી તરફ સાક્ષી મલિકે કહ્યું કે અમે તમામ મહિલા સાંસદોને મહાપંચાયતમાં આવવાનું આમંત્રણ આપીએ છીએ.

અમે શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત કરીશું: પુનિયા

બજરંગ પુનિયાએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત યોજીશું, જ્યાં પોલીસ રોકશે, અમે ત્યાં બેસીને મહાપંચાયત કરીશું. જો અમને પરવાનગી નહીં મળે તો અમે બને ત્યાં સુધી કૂચ કરીશું અને ત્યાં મહાપંચાયત કરીશું. અમે મહાપંચાયતમાં મોટો નિર્ણય લઈશું.

કુસ્તીબાજો સામે FIR નોંધવાની માંગ

જણાવી દઈએ કે કોર્ટમાં અરજી દાખલ કરીને કુસ્તીબાજો સામે પણ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 9મી જૂને થશે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ કુસ્તીબાજોએ પીએમ મોદી અને સાંસદ બ્રિજ ભૂષણ સિંહ પર ખોટા આરોપો લગાવ્યા હતા અને તેમની વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">