AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM કેયર્સ ફંડ વેબસાઇટ પરથી PM મોદીનું નામ અને ઇમેજ હટાવવાની અરજી મામલે બોમ્બે હાઇકોર્ટેની કેન્દ્રને નોટિસ

બોમ્બે હાઈકોર્ટે સોમવારે PM CARES ફંડ ટ્રસ્ટ અને ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને છબી હટાવવાની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો હતો.

PM કેયર્સ ફંડ વેબસાઇટ પરથી PM મોદીનું નામ અને ઇમેજ હટાવવાની અરજી મામલે બોમ્બે હાઇકોર્ટેની કેન્દ્રને નોટિસ
PM Care Fund
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 5:28 PM
Share

બોમ્બે હાઈકોર્ટે સોમવારે PM CARES ફંડ ટ્રસ્ટ અને ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને છબી હટાવવાની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો હતો.

કોંગ્રેસના સભ્ય વિક્રાંત ચવ્હાણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વડાપ્રધાનની PM CARES ટ્રસ્ટ ફંડની સત્તાવાર વેબસાઇટ પરથી રાષ્ટ્રધ્વજ અને ભારતના પ્રતીકને તસવીરો કાઢી નાખવાની પણ માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ડિવિઝન બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી એફિડેવિટ દાખલ કરી નથી.

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને એમએસ કર્ણિકની બેન્ચે કહ્યું કે, આ અરજીમાં એક “મહત્વપૂર્ણ” મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે.

જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે આ મુદ્દે સૂચનાઓ લેવા માટે 2 અઠવાડિયાનો સમય માંગ્યો. જો કે, કોર્ટે કહ્યું કે “આ એક મહત્વપૂર્ણ બાબત છે” અને જવાબ જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય વિક્રાંત ચવ્હાણ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ અરજીમાં આ ટિપ્પણી આવી છે, જેણે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી રાષ્ટ્ર ચિન્હ અને રાષ્ટ્રધ્વજની તસવીરો હટાવવાની પણ માંગ કરી હતી.

ચવ્હાણે રજૂઆત કરી હતી કે તે છબીઓ દર્શાવવી એ ભારતના બંધારણ અને પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. અરજીમાં ખાસ કરીને ટ્રસ્ટના નામમાંથી ‘પ્રાઈમ મિનિસ્ટર’ શબ્દો દૂર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ ટ્રસ્ટની સ્થાપના 27 માર્ચ, 2020 ના રોજ જાહેર આરોગ્ય કટોકટી અથવા અન્ય કોઈપણ પ્રકારની કટોકટી અથવા આફત માટે સહાય અને રાહત આપવા માટે જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. ટ્રસ્ટ ફંડમાં વ્યક્તિઓ/સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક યોગદાનનો સમાવેશ થાય છે અને તેને સરકાર તરફથી કોઈ અંદાજપત્રીય સમર્થન મળતું નથી. આ ઉપરાંત, ટ્રસ્ટ ફંડમાં આપેલું યોગદાન આવકવેરા કાયદા હેઠળ 100 ટકા મુક્તિ માટે પાત્ર બનશે.

આ પણ વાંચો: Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે

આ પણ વાંચો: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 300 જગ્યાઓ માટે ભરતી, ITI અને ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">