AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન જઈ રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બ ! ભારતે ઉતરવા માટે પાડી ના, એરફોર્સના વિમાનોએ કર્યો પીછો

લાહૌલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ મહાન એરલાઇન્સના પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી શેર કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં દિલ્હી અથવા જયપુરમાં વિમાનને લેન્ડ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી.

ચીન જઈ રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બ ! ભારતે ઉતરવા માટે પાડી ના, એરફોર્સના વિમાનોએ કર્યો પીછો
plane of Mahan airlines of Iran
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 12:37 PM
Share

ઈરાનના તહેરાનથી ચીન જતી ફ્લાઈટમાં (Flight to China) બોમ્બ હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો છે. વિમાનમાં જ્યારે બોમ્બ હોવાની માહિતી મળી ત્યારે ફ્લાઈટ દિલ્હીની આસપાસ હતી. આવી સ્થિતિમાં ફ્લાઈટના પાયલટે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. સુરક્ષાના કારણોસર દિલ્હી એરપોર્ટે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી ન હતી. લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ, ફ્લાઈટ ચીન માટે રવાના થઈ છે. આ સમગ્ર ઘટનામાં દિલ્હી એરપોર્ટે જયપુર એલર્ટ પણ જાહેર કર્યું હતું. જોકે જયપુર એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગ માટે પરવાનગી માંગવામાં આવી ન હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહાન એરલાઈન્સનું વિમાન W-581 તેહરાનથી ચીનના ગુઆંગઝુ એરપોર્ટ તરફ રવાના થયું હતું. જ્યારે તે માર્ગ પર હતો ત્યારે તેની પાસે બોમ્બ હોવાની માહિતી મળી છે. આ દરમિયાન ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે દિલ્હી એટીએસ પાસે ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ફ્લાઇટને લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. સવારે લગભગ 9.30 વાગે પરવાનગી માંગવામાં આવી હતી. આ પછી, ફ્લાઈટ લગભગ 45 મિનિટ સુધી દિલ્હીના એરસ્પેસમાં રહી. લાંબી રાહ જોયા બાદ ફ્લાઈટને તેના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આ ફ્લાઈટ હાલમાં બાંગ્લાદેશના એરસ્પેસમાં છે. આ પ્લેન આગામી બે કલાકમાં ચીનના એરપોર્ટ પર ઉતરશે. જોકે પ્લેન 2 કલાકથી વધુ સમયથી આકાશમાં ઉડે છે. જો કે, વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાહૌલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ તેહરાનથી ઉડાન ભરી રહેલા મહાન એરલાઇન્સના પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી શેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનને ભારતમાં દિલ્હી અથવા જયપુરમાં લેન્ડ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર ખોટા હોઈ શકે છે. લાહોર એટીસી પાસેથી માહિતી મળ્યા બાદ જ ભારતીય વાયુસેનાને પણ એલર્ટ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ ઘટના એવા સમયે બની છે, જ્યારે રાજસ્થાનના જોધપુરમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ને જોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">