AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામના વનવાસ જવાના સીનમાં દશરથ ઢળી પડ્યા, લોકોએ માન્યુ કે કલાકારે કર્યો ઉત્તમ અભિનય, વાસ્તવમાં દશરથનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ

થોડા સમય માટે બધાએ વિચાર્યું કે આ તેમના અભિનયનો એક ભાગ છે, પરંતુ લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન જોઈને સમિતિના પદાધિકારીઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ પ્રયાસ નિષ્ફળ ગયો.

રામના વનવાસ જવાના સીનમાં દશરથ ઢળી પડ્યા, લોકોએ માન્યુ કે કલાકારે કર્યો ઉત્તમ અભિનય, વાસ્તવમાં દશરથનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ
Actor Playing King Dasrath in Ramlila Dies on Stage While Calling Out Lord Ram’s Name
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 2:42 PM
Share

દશરથનું પાત્ર ભજવી રહેલા અભિનેતા રાજેન્દ્ર સિંહનું ઉત્તર પ્રદેશના બિજનૌર શહેરના દૂરના વિસ્તારમાં રામલીલા મંચન દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તે સમયે મંચ પર રામને વનવાસ મોકલી દેવાયાનું દ્રશ્ય ચાલી રહ્યું હતું. રાજા દશરથ બનનારા રાજેન્દ્રએ અલગતામાં રામ-રામ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, તેમને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તેઓ સ્ટેજ પર પડી ગયા. જો કે, પ્રેક્ષકોને આ બધું રાજેન્દ્રના અભિનયનો ભાગ લાગ્યું અને તાળીઓ વગાડવાનું શરૂ કર્યું.

જોકે, પડદો પડ્યા બાદ પણ રાજેન્દ્રસિંહ ઉભા ન થયા ત્યારે સહાયક કલાકાર તેમની પાસે પહોંચ્યા અને તેમને અહેસાસ થયો કે દશરથનું પાત્ર ભજવતી વખતે,રાજેન્દ્રસિંહે રામના વનવાસ પર જવાના બાદ તેમના વિયોગમાં મંચ પર વાસ્તવમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આ ઘટના બાદ રામલીલા જોવા આવેલા લોકોમાં શોક છવાઈ ગયો હતો. રામલીલા જોવા આવેલા દર્શકોની આંખમાં આંસુ હતા. રાજેન્દ્ર સિંહ છેલ્લા 20 વર્ષથી આ રામલીલામાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અને તેમનો અભિનય એટલો જીવંત હતો કે લોકો ભાવુક થઈ જતા હતા.

રામલીલા સમિતિના પ્રમુખ ગજરાજ ચૌહાણે જણાવ્યું હતું કે રાજા દશરથના પુત્રના અલગ થવાનું લીલા મંચન ચાલી રહ્યુ હતુ. રાજેન્દ્ર સિંહ દશરથના રૂપમાં રડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તે સ્ટેજ પર પડી ગયા.

થોડા સમય માટે બધાએ વિચાર્યું કે આ તેમના અભિનયનો એક ભાગ છે, પરંતુ લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન જોઈને સમિતિના પદાધિકારીઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ પ્રયાસ નિષ્ફળ ગયો. સમિતિના લોકોએ તરત જ એક ખાનગી ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ પછી રામલીલાનું મંચન બંધ કરવામાં આવ્યું. શુક્રવારે રાજેન્દ્ર સિંહના અંતિમ સંસ્કારમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો –

T20 World Cup 2021: પાકિસ્તાન 4 બોલરો સાથે ભારત સામે મેદાનમાં ઉતરશે! બાબર આઝમે નામોની જાહેરાત કરી

આ પણ વાંચો –

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યાં!

આ પણ વાંચો –

Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ ” જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ”

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">