Arvind Kejriwal Arrested: દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને મોટો ફટકો, 6 દિવસના રિમાન્ડ મંજૂર, 28મીએ ફરી થશે હાજર
સીએમ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પણ આજે સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તમને જણાવી દઈએ કે EDની ટીમ ગુરુવારે મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. કેજરીવાલની બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાનની તલાશી બાદ ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે કોર્ટે દિલ્હીના સીએમને 6 દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલને હવે 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગુરુવારે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ED વતી સહાયક સોલિસિટર જનરલ રાજુએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સમગ્ર કેસમાં મુખ્ય કાવતરાખોર છે. કેજરીવાલે અન્ય નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું. કેજરીવાલ દિલ્હીમાં નવી દારૂની નીતિને લાગુ કરવામાં સીધી રીતે સામેલ હતા. પીએમએલએ હેઠળ આ સમગ્ર મામલામાં અનેક આરોપો છે. નિષ્ણાત સમિતિ, જેનું કામ નીતિ માટે અભિપ્રાયો એકત્ર કરવાનું હતું, તેણે કોઈ કામ કર્યું નથી.
આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ રાજુએ કહ્યું કે મનીષ સિસોદિયાએ પણ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સિસોદિયાના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. ASGએ કોર્ટને જણાવ્યું કે, મનીષ સિસોદિયાએ વિજય નાયરને કેજરીવાલના ઘરે બોલાવ્યા અને તેમને દારૂની નીતિ સાથે સંબંધિત દસ્તાવેજો આપ્યા. વિજય નાયર, અરવિંદ કેજરીવાલ અને કે. કવિતા માટે કામ કરતી હતી અને સાઉથ ગ્રુપમાં મિડલ મેનની ભૂમિકા ભજવી રહી હતી. આટલું જ નહીં, વિનય નાયર મુખ્યમંત્રી આવાસની નજીક રહેતા હતા, તેઓ AAP પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ હતા.
ગોવામાં હવાલા દ્વારા 40 કરોડ ટ્રાન્સફર
આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ રાજુએ કહ્યું કે, ગોવામાં હવાલા દ્વારા 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રિન્સ કુમારે ગોવાની ચૂંટણી માટે સાગર પટેલ પાસેથી પૈસા લીધા હતા. તેના કોલ રેકોર્ડ્સ દ્વારા તેની પુષ્ટિ થાય છે. ચરણપ્રીત સિંહ નામના વ્યક્તિએ ગોવામાં આમ આદમી પાર્ટી માટે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમણે વિજય નાયરની કંપની રથ મીડિયા સાથે કામ કર્યું હતું.
ચરણપ્રીત સિંહને દિલ્હી સરકારે PR માટે 55,000 રૂપિયાના માસિક પગાર પર નિયુક્ત કર્યા હતા. EDએ કહ્યું કે અમારી પાસે ચેટ્સ પણ છે, જે આ વાતની પુષ્ટિ કરે છે. એટલું જ નહીં, મોટાભાગના દારૂ વેચનારાઓએ મહત્તમ હદ સુધી રોકડ ચુકવણી કરી છે. EDએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલનું તમામ કામ વિજય નાયર કરે છે. તેનું કામ રોકડ ભેગી કરવાનું અને લોકોને ધમકાવવાનું હતું.
EDએ કહ્યું- સમગ્ર ગુના પાછળ કેજરીવાલનું મગજ છે
આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, આમ આદમી પાર્ટી આ કેસમાં લાભાર્થી રહી છે પરંતુ પાર્ટીનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. EDનું માનવું છે કે AAP એક કંપની છે, તેની કામગીરીમાં સામેલ દરેક વ્યક્તિ એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગમાં સામેલ છે. આથી આ કેસમાં અરવિંદ કેજરીવાલને માત્ર અંગત લાભ જ નહીં પરંતુ પાર્ટીના વડા હોવાના કારણે ગુનામાં તેમની ભૂમિકા મોટી બની જાય છે. કેજરીવાલ પાર્ટીના સંચાલન માટે જવાબદાર છે, તેઓ રાષ્ટ્રીય સંયોજક છે અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે જવાબદાર છે, તેથી ED તેમને કિંગપિન ગણાવી રહી છે. સમગ્ર ગુના પાછળ કેજરીવાલનું મગજ હતું.
કે. કવિતાએ AAPને 300 કરોડ રૂપિયા આપ્યા: ED
EDએ કોર્ટને જણાવ્યું કે વિનય નાયર મુખ્યમંત્રીના આવાસની નજીક રહેતો હતો, તે AAP પાર્ટીનો મીડિયા ઈન્ચાર્જ હતો. કે. કવિતાએ AAP પાર્ટીને 300 કરોડ રૂપિયા આપ્યા હતા. બૂચી બાબુ દ્વારા બે વાર રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી, પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ. કેજરીવાલ પંજાબ અને ગોવાની ચૂંટણી માટે ફંડ ઇચ્છતા હતા. વિજય નાયર કેજરીવાલના ખૂબ નજીક હતા.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી
સીએમ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પણ આજે સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે EDની ટીમ ગુરુવારે મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. કેજરીવાલની બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાનની તલાશી બાદ ધરપકડ કરવામાં આવી હતી.