ISRO ચીફની મોટી જાહેરાત, 3 મહિનામાં 3 મોટા લોન્ચ થશે

|

Jan 12, 2023 | 7:55 AM

ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, દેશ હજુ પણ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ (STM) માં તેની બાલ્યાવસ્થામાં છે. ISRO આ ક્ષેત્રમાં ક્ષમતાઓ વિકસાવવા માટે વિચારી રહી છે.

ISRO ચીફની મોટી જાહેરાત, 3 મહિનામાં 3 મોટા લોન્ચ થશે
Launch vehicle mark made by ISRO

Follow us on

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના અધ્યક્ષ એસ. સોમનાથે બુધવારે બેંગલુરુમાં જણાવ્યું કે, ઈસરોએ આગામી ત્રણ મહિનામાં ત્રણ મોટા રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેમણે જણાવ્યું કે આ રોકેટોમાં સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV), લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM-III) અને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)નો સમાવેશ થાય છે. ગગનયાનના પ્રક્ષેપણ અંગે સોમનાથે કહ્યું કે ગગનયાનનું ફ્લાઇટ ટેસ્ટ એપ્રિલ કે મે મહિનામાં થઈ શકે છે. સોમનાથ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ પર ત્રણ દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંત સુધીમાં અમે SSLV લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તે પછી આગળનું મિશન એલવીએમ-3 હશે… તે પછી પીએસએલવીને ફરીથી વ્યાપારી હેતુ માટે લોન્ચ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના માટે આ તાત્કાલિક લક્ષ્ય છે.”

ગગનયાન અંગે શુ કહ્યું

ગગનયાન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સોમનાથે કહ્યું કે, ગગનયાનનું ફ્લાઇટ ટેસ્ટ એપ્રિલ અથવા મે મહિનામાં થઈ શકે છે. ગગનયાન એ અવકાશમાં ક્રૂ મોકલવાનું ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન છે. ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે દેશ હજુ પણ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ (STM) માં તેની બાલ્યાવસ્થામાં છે અને ISRO આ ક્ષેત્રમાં ક્ષમતાઓ વિકસાવવા માટે વિચારી રહી છે. તેમણે કહ્યું કે ISRO દેશમાં અવલોકન પ્લેટફોર્મ બનાવવા માટે તકનીકી ક્ષમતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે વિશ્વમાં પરસ્પર સન્માન પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

ભારતનું હિત વધી રહ્યું છેઃ સોમનાથ

તેમણે કહ્યું, “ભારત એસએસએ અને એસટીએમના આ વિશેષ ક્ષેત્રમાં રસ ધરાવે છે. અમે નાગરિક અને સુરક્ષા બંને પાસાઓમાં ભારતમાં ક્ષમતાઓ વિકસાવવા માંગીએ છીએ. અવકાશ વિજ્ઞાનીએ કહ્યું, “અમે ભારતમાં અવલોકન પ્લેટફોર્મ બનાવવાની તકનીકી ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, વૈશ્વિક અવકાશ પરિસ્થિતિની જાગૃતિમાં આગાહી કરવાની અને તેમાં યોગદાન આપવાની ક્ષમતા ધરાવીએ છીએ, અને આખરે, જ્યાં સુધી આપણે આ ક્ષેત્રમાં મજબૂત નથી ત્યા સુધી પરસ્પર આદર નહીં મળે.” બેગ્લોરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ વિષય પર આયોજિત વર્કશોપ દરમિયાન તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ અને વિશ્વના વિવિધ ભાગોના નિષ્ણાતોએ વર્કશોપમાં ભાગ લીધો હતો. સોમનાથે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય પરસ્પર આદર હાંસલ કરવાનો છે. જેથી કરીને ભારત અને અન્ય દેશો વચ્ચે પરસ્પર ડેટા અને માહિતી વહેંચી શકાય.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Next Article