Bhabanipur By Poll Result: મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પરથી જીત
મમતા બેનર્જી માટે આ ચૂંટણી જીતવી ઘણી મહત્વની હતી, કારણ કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને સીએમ રહેવા માટે તેમને આ ચૂંટણી જીતવી જરૂરી હતી.
પશ્ચિમ બંગાળની કમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) હાથમાં રહેશે કે નહીં તે આજે નક્કી થવાનું હતું. આજે ભવાનીપુર બેઠક (bhabanipur By-Poll Result 2021) પર યોજાયેલી પેટા ચૂંટણીની ગણતરી પૂર્ણ થઈ છે, જેમા મમતા બેનર્જીની જીત થઈ છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં હતા અને તેમની સામે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટીબરેવાલ (BJP Priyanka Tibrewal) મેદાનમાં છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. મુખ્યમંત્રી પદ પર રહેવા માટે તેમણે આ પેટા ચૂંટણી લડ્યા હતા. ભાજપની પ્રિયંકા ટીબરેવાલ ભવાનીપુરમાં બેનર્જી સામે મેદાનમાં હતા, જ્યારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPI-M) એ શ્રીજીબ બિસ્વાસને ટિકિટ આપી હતી.
ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન થયું હતું
ચૂંટણી પંચ અનુસાર, ભવાનીપુરમાં 53.32 ટકા મતદાન થયું. આ સિવાય મુર્શીદાબાદ જિલ્લાના જંગીપુરમાં 76.12 ટકા લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે સંસેરગંજમાં 78.60 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
મમતા માટે મહત્વની ચૂંટણી
મમતા બેનર્જી માટે આ ચૂંટણી ઘણી મહત્વની હતી, કારણ કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને સીએમ રહેવા માટે તેમને આ ચૂંટણી જીતવી જરૂરી હતી. તો જ તે મુખ્યમંત્રી પદ પર રહી શકશે.
આ પણ વાંચો : India Corona Update : કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ નોંધાયા
આ પણ વાંચો : ગોવામાં કોંગ્રેસ પર છવાયા સંકટના વાદળો ! કોંગ્રેસનો હાથ છોડી MLA લૌરેન્કો AAP માં જોડાશે