AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Train Accident: રેલવે મંત્રી આજે પહોંચશે ઘટનાસ્થળે, PM મોદી સહિત ઘણા મુખ્યપ્રધાનોએ મમતા બેનર્જી સાથે કરી વાત

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી, એસપી, આઈજી બચાવ અને રાહત કાર્યો પર નજર રાખી રહ્યા છે.

Bengal Train Accident: રેલવે મંત્રી આજે પહોંચશે ઘટનાસ્થળે, PM મોદી સહિત ઘણા મુખ્યપ્રધાનોએ મમતા બેનર્જી સાથે કરી વાત
bengal train accident railway minister will visit the accident site
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 6:47 AM
Share

ગુરુવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ (West Bengal Train Accident) પાટા પરથી ઉતરી જતાં 5 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ટ્રેનમાં બિકાનેરથી 177 લોકો સવાર હતા. આ ઘટના ગુરૂવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની છે. રેલવે બોર્ડે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે તરપથી સૂચના મળતા જ સ્થાનિક તંત્રની સાથે રાહત કાર્ય પ્રારંભ કરી દીધુ છે. મુસાફરોની મદદ માટે ઉત્તર પશ્ચિમ રેલવે તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ત્યારે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી, એસપી, આઈજી બચાવ અને રાહત કાર્યો પર નજર રાખી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોને ઝડપી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ટ્રેન દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાત કરી છે. મમતા બેનર્જી કોવિડ 19ની સ્થિતિને લઈ આયોજિત મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તે દરમિયાન વડાપ્રધાને વાત કરી અને કહ્યું કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

રેલવે મંત્રી અકસ્માત સ્થળની મુલાકાત લેશે

ત્યારે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મેં વડાપ્રધાન સાથે વાત કરી છે અને તેમને રાહત કાર્યોથી અવગત કર્યા છે. હું વ્યક્તિગત રીતે રાહત કાર્યોની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને હું સાઈટ પર પહોંચું છું. અમારું ધ્યાન બચાવ પર છે. અકસ્માત અને દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ થશે.

આ પણ વાંચો: Uttar Pradesh Election: સમાજવાદી પાર્ટી-આરએલડી ગઠબંધનના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર લાગી મહોર

આ પણ વાંચો: Bengal Train Accident: સીએમ અશોક ગેહલોતે બે મંત્રીઓને બંગાળ જવા સૂચના આપી, રેલવેએ રાજસ્થાન માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">