AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session: સંસદ સત્ર પહેલા PM મોદી કરશે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા, વિપક્ષને સહયોગની કરશે અપીલ

લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ સોમવારે સંસદમાં શિયાળુ સત્રને સુચારૂ રીતે ચલાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે.

Parliament Winter Session: સંસદ સત્ર પહેલા PM મોદી કરશે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા, વિપક્ષને સહયોગની કરશે અપીલ
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:51 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) પહેલા રવિવારે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક (all-party sitting) ની અધ્યક્ષતા કરશે. બેઠકમાં કેન્દ્ર સરકાર વિપક્ષી દળો સાથે સત્રમાં થનારા મહત્વપૂર્ણ કામો અને તેના એજન્ડા પર ચર્ચા કરશે. બેઠક દરમિયાન, રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રીતે ચલાવવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી (Union Parliamentary Affairs Minister Prahlad Joshi) રવિવારે સવારે 9:30 વાગ્યે તમામ પક્ષોના ગૃહના નેતાઓ સાથે બેઠક કરશે.

સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલ લિસ્ટ કર્યા છે, જેમાં એક ક્રિપ્ટોકરન્સી પરનો અને એક કૃષિ કાયદાને રદ કરવાનો છે. સંસદ સત્રના પહેલા દિવસે કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પહેલાથી જ સરકારને સમર્થન આપવા માટે તેના સભ્યોને બંને ગૃહોમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધો છે. ભાજપની સંસદીય બાબતોની સમિતિ પણ આજે એક અલગ બેઠક યોજશે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી કૃષિ કાયદાને પાછો ખેંચવા માટેના બિલને મંજૂરી આપી હતી.

શિયાળુ સત્ર પહેલા રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ રવિવારે સાંજે ગૃહમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, તેઓ સંસદના આ સત્ર દરમિયાન રાજ્યસભાની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે.

કોંગ્રેસે સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ પણ જાહેર કર્યો છે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ સોમવારે સંસદમાં શિયાળુ સત્રને સુચારૂ રીતે ચલાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે. લગભગ તમામ વિરોધ પક્ષોએ સંસદના સેન્ટ્રલ હોલમાં 26 નવેમ્બરે લોકસભા સચિવાલય દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીનો બહિષ્કાર કર્યો હતો. બિરલાએ વિરોધ પક્ષો દ્વારા કાર્યક્રમના બહિષ્કાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ સિવાય કોંગ્રેસે સોમવારે સાંસદોની હાજરી માટે ત્રણ લીટીનો વ્હીપ પણ જારી કર્યો છે. કોંગ્રેસે શિયાળુ સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષો વચ્ચે એકતા અને સંકલન વધારવાના પ્રયાસરૂપે 29 નવેમ્બરે અનેક વિપક્ષી પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.

વિરોધ પક્ષો ખેડૂતોની માંગ સહિત આ મુદ્દાઓ ઉઠાવી શકે છે કોંગ્રેસે ગુરુવારે પક્ષના સંસદીય બાબતોના વ્યૂહાત્મક જૂથની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની બરતરફી, મોંઘવારી, મોંઘવારી સહિત ખેડૂતોના સંગઠનોની માંગણીઓ ઉઠાવવી. આ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં સરહદ પર ચીનની આક્રમકતા અને પેગાસસ જાસૂસી કેસ જેવા મુદ્દા ઉઠાવીને સરકારને ઘેરશે.

સંસદનું ચોમાસું સત્ર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે ખોરવાઈ ગયું હતું, જેમાં પેગાસસ જાસૂસી અને ત્રણ કૃષિ મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Birthday Special : ફેરનેસ ક્રીમની એડથી ફેમસ થઇને આજે બોલીવૂડમાં બનાવી ખાસ જગ્યા, જાણો યામી ગૌતમ વિશેની રોચક વાતો

આ પણ વાંચો: કોંગ્રેસે બોલાવી વિપક્ષોની મિટિંગ, નહીં થાય TMC સામેલ, ‘જ્યારે અમે સૌથી મોટી લડાઈ લડી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી ?’ TMC એ માર્યો ટોણો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">