AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, કહ્યું- જલ્દી જ લેશે વેક્સિન

રામદેવે હવે કહ્યું છે કે તેઓ જલ્દી જ વેક્સિન લેશે. આ સાથે જ રામદેવે કહ્યું છે કે યોગ કોરોનાથી થનારી જટિલતાથી બચાવે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો.

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, કહ્યું- જલ્દી જ લેશે વેક્સિન
BABA RAMDEV
| Updated on: Jun 10, 2021 | 10:26 AM
Share

બાબા રામદેવ અને એલોપથીનો વિવાદ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બાબા રામદેવ વેક્સિન સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. તેમના વિવાદ અને વાયરલ વિડીયોમાં બાબા રામદેવ પર સવાલો ઉઠ્યા હતા કે તેઓ વેકિસનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ રામદેવે હવે કહ્યું છે કે તેઓ જલ્દી જ વેક્સિન લેશે.

આ સાથે જ રામદેવે કહ્યું છે કે યોગ કોરોનાથી થનારી જટિલતાથી બચાવે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો. તમને જણાવી દઈએ કે PM મોદીએ 21 જુનથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન ફ્રી આપવાની જાહેરાત કરી છે. ત્યારે રામદેવનું કહેવું છે કે દવા જ નહીં, ટેસ્ટ અને ઓપરેશન માફિયા પણ છે. જે દર્દીઓને લુંટી રહ્યા છે.

રામદેવે કહ્યું કે તેની લડાઈ ખોટા કામ કરનારા લોકો સામે છે. તેમજ રામદેવે જણાવ્યું કે તે ફેસબુક અને ટ્વીટર પર જેનેરિક દવાનું લીસ્ટ મુકાશે. જે દવા માત્ર 2 રૂપિયામાં વેચાય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીઓની દવા અનેક ઘણી મોંઘી છે.

દવા લખનારા ડોક્ટર કમીશન ખાય છે

રામદેવે કહ્યું કે કેટલાક ખરાબ ડોક્ટર મોંઘી દવા જ દર્દીઓને લખી આપે છે. તેમજ રામદેવે આરોપ લગાવ્યો છે બ્રાન્ડેડ કંપનીની દવા લખનારા ડોક્ટર કમીશન ખાય છે. જેનેરિક દવા ના લખીને સાલ્ટની મોંઘી દવા જ લખે છે. રામદેવે તેમ પણ કહ્યું કે તેમનો આ ખેલ બંધ કરાવવા માટે કોર્ટ પણ જઈશ.

IAM એ રામદેવ વિરુદ્ધ ICMR ને પત્ર લખ્યો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IAM)એ બુધવારે યોગગુરુ રામદેવ વિરુદ્ધ ભારતીય ચિકિત્સા અનુસંધાનન પરિષદ (ICMR)ને પત્ર લખ્યો. પત્રમાં આઇએમએએ બાબા રામદેવ પર બિનજરૂરી રીતે આધુનિક દવાનો અપમાન કરવાનો અને ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.

આઇએમએએ પત્રમાં લખ્યું છે કે યોગ ગુરુ રામદેવ જાહેરમાં નિવેદનો આપીને ડોકટરો અને આધુનિક દવાઓની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ આઈસીએમઆર દ્વારા તૈયાર કરેલા જીવન બચાવના પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે. દેશમાં રોગચાળા દરમિયાન ડોકટરો અને સ્વાસ્થ્ય વ્યાવસાયિકોએ તેમની ફરજ સારી રીતે નિભાવી છે. પરંતુ રામદેવની આવી વાતોથી તેમના મનોબળ પર ખરાબ અસર પડશે.

આ પણ વાંચો: કોરોના: Monoclonal Antibody Therapy નીવડી શકે છે કારગર, 12 કલાકમાં સ્વસ્થ થયા દર્દી

આ પણ વાંચો: Pakistan : TV શો દરમિયાન ઈમરાનખાનની નજીકના મહિલા નેતાએ, સાંસદને માર્યો લાફો, જુઓ વિડીયો

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">