અયોધ્યા જતા પહેલા આ એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગથી લઈને હોટલ બુકિંગ સુધીની મળશે સુવિધા 

22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તીઓ અહીં હાજર રહેશે. મંદિર 23 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો માટે ખુલશે, ત્યાર બાદ દરેક લોકો રામલ્લાના દર્શન કરી શકશે.

અયોધ્યા જતા પહેલા આ એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગથી લઈને હોટલ બુકિંગ સુધીની મળશે સુવિધા 
Ayodhya
Follow Us:
| Updated on: Jan 16, 2024 | 11:03 PM

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તીઓ અહીં હાજર રહેશે. મંદિર 23 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો માટે ખુલશે, ત્યાર બાદ દરેક લોકો રામલ્લાના દર્શન કરી શકશે. લોકોને અયોધ્યામાં રહેવા માટે હોટલ નથી મળી રહી અને તેના માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યારે આ એપ તમારી અયોધ્યા યાત્રાને સરળ બનાવી શકે છે.

મંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના હસ્તે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ દિવ્ય અયોધ્યા એપ છે. હવે જો તમે પણ આગામી થોડા અઠવાડિયામાં અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છો, તો આ એપ તમારા માટે ખુબ જ ઉપયોગી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

એક એપ્લિકેશન અનેક સુવિધા

દિવ્ય અયોધ્યા નામની આ એપ દ્વારા તમે હોટલ પણ બુક કરાવી શકો છો, જેમાં સસ્તીથી લઈને ડીલક્સ સુધીની હોટેલ્સની યાદી હશે. એટલું જ નહીં તમે આ એપ દ્વારા તમારી કેબ પણ બુક કરી શકો છો, જે તમને આખા અયોધ્યા શહેરમાં ફેરવશે. આ એપ દ્વારા તમે ઓનલાઈન પાર્કિંગ બુકિંગ, નેવિગેશન અને અન્ય સમાન વસ્તુઓ પણ કરી શકો છો. એપ તમને એ પણ જણાવશે કે તમે રામ મંદિર સિવાય અયોધ્યામાં કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો તમને કોઈ માર્ગદર્શિકાની જરૂર હોય તો તે પણ તમને આ એપમાંથી મળી જશે. એપ બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ બાદ અહીં લાખો લોકો પહોંચે તેવી શક્યતા છે. આ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના રહેવા અને તેમની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં દેશના લાખો લોકો રામ મંદિરના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો અયોધ્યાના સરયૂ ઘાટમાં ગુજરાતી NRI મૂકશે સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">