AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umesh Pal Murder Case: STFને મળ્યા સબૂત! અતીકે સાબરમતી જેલમાંથી ઘડ્યું હતુ ઉમેશ પાલની હત્યાનું કાવતરું

પ્રયાગરાજ પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા બદમાશોની ઓળખ કરીને એક યાદી તૈયાર કરી છે. આ યાદી પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA)ના અધિકારીઓને મોકલવામાં આવી છે.

Umesh Pal Murder Case: STFને મળ્યા સબૂત! અતીકે સાબરમતી જેલમાંથી ઘડ્યું હતુ ઉમેશ પાલની હત્યાનું કાવતરું
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 1:39 PM
Share

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરની હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ એક્શન મોડમાં છે. હત્યાની તપાસ કરી રહેલી એસટીએફને મોટા પુરાવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માફિયા અતીકના આદેશ પર ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. સાબરમતી જેલમાંથી અતીક અહેમદે તેના શૂટરોને ઉમેશ પાલને મારી નાખવાની સૂચના આપી હતી.

આ પણ વાચો: Umesh Pal Murder Case: પૂર્વ સાંસદ અતીક અહેમદની મુશ્કેલીઓ વધી, પત્ની શાઇસ્તા પરવીન અને બંને પુત્રો સામે FIR દાખલ

જેલમાં રહેલા અશરફે પૂછપરછ દરમિયાન હત્યા માટે અતીકની સૂચનાની કબૂલાત કરી છે. અશરફ હાલ બરેલી જેલમાં બંધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે કયો શૂટર આ ઘટનાને અંજામ આપશે. તે જ સમયે, પ્રયાગરાજ પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા બદમાશોની ઓળખ કરીને એક યાદી તૈયાર કરી છે. આ યાદી પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA)ના અધિકારીઓને મોકલવામાં આવી છે.

પીડીએ અધિકારીઓ ગુનેગારોના ઘરનો નકશો સ્કેન ચેક કરી રહ્યા છે. બુલડોઝર ટૂંક સમયમાં ગુનેગારોના ઘરો પર જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો, ધુમાનગંજ વિસ્તાર અને સિવિલ લાઈન્સમાં કેટલીક બિલ્ડીંગ અને મકાનોની ઓળખ કરવામાં આવી છે. તે જ સમયે, એવા સમાચાર છે કે અતીક અહેમદના સહયોગીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

પત્ની આરોપી સાબીત થતા તેને બસપામાંથી કાઢવામાં આવશે

આ મામલામાં બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે, પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસના સાક્ષી અને તેમના એક સુરક્ષાકર્મીની હત્યામાં પૂર્વ સાંસદ અતીક અહેમદની પત્ની આરોપી સાબીત થતા તનેન બસપામાંથી કાઢવામાં આવશે. શાઇસ્તા હાલમાં BSPમાં છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સિક્યોરિટી ગાર્ડની હત્યા માટે પરવીન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અતીક અને તેના બે પુત્રો પણ આરોપી છે.

દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

2005 માં, ઉમેશ પાલ, જેઓ તત્કાલીન બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મહત્વપૂર્ણ સાક્ષી હતા અને તેમના સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા અતીક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે અને તે હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">