AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત

રતન ટાટા 24 જાન્યુઆરીના રોજ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ 'આસામ વૈભવ' આપીને કર્યા સન્માનિત
Ratan Tata and Assam Cm Himanta Biswa Sarma
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:59 PM
Share

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Assam CM Himanta Biswa Sarma) બુધવારે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને સર્વોચ્ચ રાજ્ય નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’  (Asom Baibhav) અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે રતન ટાટા 24 જાન્યુઆરીએ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા. જણાવી દઈએ કે રતન ટાટાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પત્ર લખીને પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘હું વર્ષ 2021 માટે આસામ વૈભવ એવોર્ડ પ્રદાન કરવાના આસામ સરકારના નિર્ણયની ખૂબ પ્રશંસા કરું છું અને ઊંડાણપુર્વક પ્રભાવિત છું. હું તમારી અંગત પ્રતિબદ્ધતાનો ચાહક રહ્યો છું. આસામી લોકોના ભલા માટે તમારા તરફથી આ એવોર્ડ મેળવવો એ અસાધારણ સન્માનની વાત છે.

આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ‘આસામ વૈભવ’

નોંધનીય છે કે આસામ દિવસના અવસર પર સીએમ સરમાએ ઉદ્યોગપતિ રતન ટાટાને સૌથી પ્રતિષ્ઠિત ‘આસામ વૈભવ’ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ‘તેની જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આસામ સરકારે આસામમાં કેન્સરની સંભાળને આગળ વધારવામાં અસાધારણ યોગદાન બદલ રતન ટાટાને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’ એનાયત કરવાનો નિર્ણય લીધો છે.

5ને આસામ સૌરભ એવોર્ડ, 13ને આસામ ગૌરવ એવોર્ડ

સીએમ સરમાએ નોંધપાત્ર કામગીરી કરવા બદલ સમાજના વિવિધ વર્ગના 19 લોકોને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 19 લોકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ લોકોને આસામ સૌરભ એવોર્ડ જ્યારે 13 લોકોને આસામ ગૌરવ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેઓને આસામ સૌરભ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બોક્સર લવલિના બોરગોહનનું નામ પણ સામેલ છે.

બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સર વિજેન્દર કુમાર (2008) અને એમસી મેરી કોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય છે.

આ પણ વાંચો :  Surat : રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ, જવેલરી એક્સપોર્ટમાં વિલંબની સંભાવના, છૂટક વેચાણ 40 ટકા ઘટ્યું

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">