દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત

રતન ટાટા 24 જાન્યુઆરીના રોજ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ 'આસામ વૈભવ' આપીને કર્યા સન્માનિત
Ratan Tata and Assam Cm Himanta Biswa Sarma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:59 PM

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Assam CM Himanta Biswa Sarma) બુધવારે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને સર્વોચ્ચ રાજ્ય નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’  (Asom Baibhav) અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે રતન ટાટા 24 જાન્યુઆરીએ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા. જણાવી દઈએ કે રતન ટાટાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પત્ર લખીને પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘હું વર્ષ 2021 માટે આસામ વૈભવ એવોર્ડ પ્રદાન કરવાના આસામ સરકારના નિર્ણયની ખૂબ પ્રશંસા કરું છું અને ઊંડાણપુર્વક પ્રભાવિત છું. હું તમારી અંગત પ્રતિબદ્ધતાનો ચાહક રહ્યો છું. આસામી લોકોના ભલા માટે તમારા તરફથી આ એવોર્ડ મેળવવો એ અસાધારણ સન્માનની વાત છે.

આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ‘આસામ વૈભવ’

નોંધનીય છે કે આસામ દિવસના અવસર પર સીએમ સરમાએ ઉદ્યોગપતિ રતન ટાટાને સૌથી પ્રતિષ્ઠિત ‘આસામ વૈભવ’ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ‘તેની જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આસામ સરકારે આસામમાં કેન્સરની સંભાળને આગળ વધારવામાં અસાધારણ યોગદાન બદલ રતન ટાટાને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’ એનાયત કરવાનો નિર્ણય લીધો છે.

5ને આસામ સૌરભ એવોર્ડ, 13ને આસામ ગૌરવ એવોર્ડ

સીએમ સરમાએ નોંધપાત્ર કામગીરી કરવા બદલ સમાજના વિવિધ વર્ગના 19 લોકોને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 19 લોકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ લોકોને આસામ સૌરભ એવોર્ડ જ્યારે 13 લોકોને આસામ ગૌરવ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેઓને આસામ સૌરભ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બોક્સર લવલિના બોરગોહનનું નામ પણ સામેલ છે.

બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સર વિજેન્દર કુમાર (2008) અને એમસી મેરી કોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય છે.

આ પણ વાંચો :  Surat : રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ, જવેલરી એક્સપોર્ટમાં વિલંબની સંભાવના, છૂટક વેચાણ 40 ટકા ઘટ્યું

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">