આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાષ્ટ્ર માટે સર્વોત્તમ બલિદાન આપનારા બહાદુરોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ દેશ તમામ વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે જેમણે દેશના રક્ષણ માટે બલિદાન આપ્યું છે.
રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે કે, આર્મી ડે પર ભારતીય સૈન્યના તમામ જવાનોને શુભેચ્છાઓ. આ દેશ સૈનિકોને તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે હંમેશા યાદ રાખશે. હિન્દુસ્તાન હંમેશા આ બહાદુર પુત્રોના કુટુંબનું ઋણી રહેશે.”
On Army Day, greetings to the valiant men and women of the Indian Army.
We remember the bravehearts who made the supreme sacrifice in service to the nation.
India will remain forever grateful to courageous and committed soldiers, veterans and their families.
Jai Hind!🇮🇳
— President of India (@rashtrapatibhvn) January 15, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્ય દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું કે, આર્મી ડે પર મા ભારતીના બચાવમાં દરેક ક્ષણે દેશના શકિતશાળી સૈનિકો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપણી સૈન્ય સશક્ત, હિંમતવાન અને સંકલ્પબદ્ધ છે, જેણે હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. દેશની જનતા વતી ભારતીય સૈન્યને મારા નમસ્કાર. ”
मां भारती की रक्षा में पल-पल मुस्तैद देश के पराक्रमी सैनिकों और उनके परिजनों को सेना दिवस की हार्दिक बधाई। हमारी सेना सशक्त, साहसी और संकल्पबद्ध है, जिसने हमेशा देश का सिर गर्व से ऊंचा किया है। समस्त देशवासियों की ओर से भारतीय सेना को मेरा नमन।
— Narendra Modi (@narendramodi) January 15, 2021
આ પણ વાંચો: અમદાવાદ સહિત ચાર મહાનગરોના લોકોને રાત્રી કરફ્યૂમાંથી મળશે છૂટ, રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય