AP: આંધ્રપ્રદેશમાં પૂરનો કહેર, અત્યાર સુધી મૃત્યુયાંક 34 થયો, 10 લોકો ગુમ
મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી (Chief Minister YS Jagan Mohan Reddy) એ સવારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે (floods in Andhra Pradesh) મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે વધુ 10 લોકો હજુ પણ ગુમ છે. રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી હતી. SPS નેલ્લોર જિલ્લામાં પદુગુપાડુ (Vijayawada-Chennai section) નજીક ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ પૂર્ણ થયા બાદ સોમવારે વિજયવાડા-ચેન્નઈ સેક્શન (Vijayawada-Chennai section) માં એક રેલ્વે લાઇન ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવી હતી.
કૃષિ પ્રધાન કે કન્ના બાબુ (Agriculture Minister K Kanna Babu) એ જણાવ્યું હતું કે સરકારે ભારે વરસાદ અને પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 1 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતોને પશુધનના મૃત્યુના કિસ્સામાં 30,000 રૂપિયા અને ઘેટાં-બકરાના કિસ્સામાં 3,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. NDRFની આઠ ટીમો અને SDRFની આઠ ટીમોને 19 સ્થળોએ બચાવ અને રાહત કામગીરી માટે બે હેલિકોપ્ટર સાથે તૈનાત કરવામાં આવી છે. કન્ના બાબુએ જણાવ્યું હતું કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં 294 રાહત શિબિરો છે અને 57,969 લોકોને બહાર કાઢીને રાહત શિબિરો (relief camps) માં રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ 5200 રૂપિયા આપવા સહિતની આ બાબતોની જાહેરાત કરી હતી મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી (Chief Minister YS Jagan Mohan Reddy) એ સવારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે દરેક અસરગ્રસ્ત પરિવારને 25 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો રસોઈ તેલ આપવામાં આવે. આ સાથે 1 કિલો ડુંગળી, 1 કિલો બટેટા અને 2000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે.
તેમણે અધિકારીઓને સ્વચ્છતા, મેડિકલ કેમ્પની જાળવણી, રસ્તાઓની પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહ્યું. આ સાથે જ, મુખ્યમંત્રીએ અધિકારીઓને 95,100 રૂપિયાનું વળતર અને ઘર ગુમાવનારાઓને નવું મકાન અને પૂરના કારણે આંશિક રીતે નુકસાન પામેલા લોકોને 5,200 રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ અધિકારીઓને કોન્સ્ટેબલ, ગ્રામ સચિવાલયના કર્મચારી અને નેલ્લોરમાં આરટીસી કંડક્ટરના પરિવારોને ₹25 લાખ વળતર અને સરકારી નોકરી આપવા જણાવ્યું હતું, જેમણે પૂર દરમિયાન અન્ય લોકોને મદદ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજી બાજુ, વિજયવાડા-ચેન્નઈ સેક્શનમાં એક રેલ્વે લાઇન સોમવારે એસપીએસ નેલ્લોર જિલ્લામાં પદુગુપાડુ નજીક ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ પૂર્ણ થયા પછી ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવી હતી.
તે જ સમયે, ચેન્નાઈ-કોલકાતા નેશનલ હાઈવે-16 પણ વાહનોની અવરજવર માટે આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તેને શનિવારે મોડી રાતથી SPS નેલ્લોર જિલ્લામાં કાપવામાં આવ્યો હતો. ચિત્તૂર, અનંતપુરમુ, કડપા અને એસપીએસ નેલ્લોર જિલ્લામાં પૂર પર વિધાનસભામાં નિવેદન આપતી વખતે, કૃષિ પ્રધાન કે. કન્ના બાબુએ કહ્યું કે 34 મૃતકોમાં બચાવ ટીમના 3 સભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Mandi: અમદાવાદના ધંધુકા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો: Boeing 737 Max : અઢી વર્ષ બાદ Boeing 737 Maxની પહેલી ફ્લાઇટ દિલ્હીથી ગ્વાલિયર ઉડાન ભરશે