Andhra Pradesh: નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને અપાઇ મંજૂરી, દવા અંગે જલ્દી રિપોર્ટ આપવા આદેશ

Andhra Pradesh:  નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને આંધ્રપ્રદેશ સરકારે મંજૂરી આપી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આ દવા લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતી.

| Updated on: May 31, 2021 | 6:15 PM

Andhra Pradesh:  નેલ્લોર જિલ્લામાં કોરોનાની આયુર્વેદિક દવાને આંધ્રપ્રદેશ સરકારે મંજૂરી આપી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આ દવા લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતી. જે બાદ આંધ્રપ્રદેશ સરકારે આ આયુર્વેદિક દવાની ક્ષમતા ચકાસવા માટે ભારતીય આયુર્વેદિક આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદમાં મોકલાવાનો ફેંસલો કર્યો હતો. તો ખુદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કે જેઓ પોતે નેલ્લોર જિલ્લાના છે, તેમણે પણ આયુષ પ્રધાન કિરણ રિજિજૂને આ દવાનું અધ્યયન કરી જલ્દીમાં જલ્દી રિપોર્ટ આપવા કહ્યું હતું.

આ દવા આયુર્વેદિક ડોક્ટર આનંદૈયા કૃષ્ણાપટ્ટનમ દ્વારા તૈયાર કરાઈ છે. રાજ્ય સરકારે કહ્યું કે તે દવા આપવામાં વાંધો નથી. CCRASના રિપોર્ટ અનુસાર તેને પરવાનગી મળી છે. જો કે આંખમાં ટીપા નાંખવાની મનાઈ કરી છે, દાવો એવો હતો કે આ દવાના બે ટીપાં આંખમાં અથવા ઓરલી આપવામાં આવે છે, અને ટીપાં નાંખ્યા પછી ઑક્સિજન લેવલ વધવા લાગે છે. પરંતુ સરકારે ઓરલી દવા આપવાની પરવાનગી આપી દીધી છે.

 

અહીં નોંધનીય છેકે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ચમત્કારી દવા દ્વારા કોરોના સંક્રમણ મટી જતું હોવાનો વીડિયો વાયરલ થયો તે સાથે જ લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન તે સ્થળે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડ્યા હતા. આ દવાની માંગને ધ્યાનમાં લઈને આંધ્ર પ્રદેશ સરકારે દવાને પરીક્ષણ માટે ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાસે મોકલવાનો નિર્ણય લીધો છે.

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી દવા ખરીદવા માટે લોકોની ભીડ જામી રહી છે. આ દવા મેળવવા માટે પાડોશી રાજ્યના લોકો પણ આવી રહ્યા છે. આ ચમત્કારી દવા મેળવવા માટે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડાડાઈ રહ્યા છે. આયુર્વેદિક ચિકિત્સક બી. આનંદૈયા કૃષ્ણાપટ્ટનમ જિલ્લા ખાતે આ દવાનું વિતરણ કરી રહ્યા છે. તેઓ પહેલા ગામના સરપંચ અને બાદમાં મંડલ પરિષદના સદસ્ય પણ રહી ચુક્યા છે. તેમણે 21મી એપ્રિલથી આ દવાનું વિતરણ શરૂ કર્યું હતું.

સંશોધકો નેલ્લોર પહોંચશે

નાયબ મુખ્યમંત્રી શ્રીનિવાસે જણાવ્યું કે, તેમણે આઈસીએમઆર અને અન્ય નિષ્ણાતો પાસે દવાનો અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે. જેથી દવાની અસરકારકતા અંગે જાણી શકાય. પ્રદેશ સરકારે ‘કૃષ્ણાપટ્ટનમ દવા’ તરીકે લોકપ્રિય થયેલી આ દવાના ફોર્મ્યુલેશનના ઓન ધ સ્પોટ અભ્યાસ માટે નિષ્ણાતોની એક ટીમ નેલ્લોર મોકલવાનો નિર્ણય લીધો છે.

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">