AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકડાઉનના નિર્ણયનો બોલ રાજ્યોના પલ્લામાં, અમિત શાહે લોકડાઉન, રાજ્યોની સત્તા અને મહાકુંભ વિશે શું કહ્યું જાણો

એક અહેવાલ અનુસાર અમિત શાહે કોરોના સમયમાં રાજ્યોની સત્તા, લોકડાઉન, અને મહાકુંભ તેમજ ચૂંટણી રેલીઓ વિશે વાત કરી હતી. જુઓ અહેવાલ.

લોકડાઉનના નિર્ણયનો બોલ રાજ્યોના પલ્લામાં, અમિત શાહે લોકડાઉન, રાજ્યોની સત્તા અને મહાકુંભ વિશે શું કહ્યું જાણો
Amit Shah (File Image)
| Updated on: Apr 19, 2021 | 10:42 AM
Share

દેશમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ઘણા રાજ્યોએ આ કારણસર મિની લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ જેમ જેમ સ્થિતિઓ ખરાબ થઈ રહી છે તેમ તેમ ફરી એક વાર રાષ્ટ્રીય લોકડાઉન થવાનું જોખમ ઉભું થવા લાગ્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ચર્ચા અંગે જણાવ્યું છે કે, “કેન્દ્ર સરકારે હવે રાજ્યોના હાથમાં છૂટ આપી છે કે તેઓ નિયંત્રણો અંગેના નિર્ણય લે, રાજ્ય સરકારો પોતાના નિર્ણયો લઈ રહી છે.”

એક મુલાકાતમાં અમિત શાહે કહ્યું કે, ‘છેલ્લા 3 મહિનાથી અમે રાજ્યોને પ્રતિબંધો લગાવવાની સત્તા આપી છે, કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ એક જેવી હોતી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારોએ તેમના સંજોગો પ્રમાણે નિર્ણય લેવો પડશે. ‘

અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉન થયું ત્યારે દેશમાં આરોગ્યનું માળખું ખૂબ જ નબળું હતું, પલંગ-પરીક્ષણ-ઓક્સિજન સહિતની ઘણી સુવિધાઓ પહેલાં નહોતી. જો કે હવે કેન્દ્ર અને રાજ્યોની મદદથી ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે કોરોના સામે લડવા માટે, દરેક રાજ્યોએ અહીંની પરિસ્થિતિ અનુસાર પોતાના નિર્ણય લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે.

અમિત શાહે કોરોના સમયગાળા દરમિયાન થઇ રહેલા કુંભ પર શું કહ્યું?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કુંભ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સંતો સાથે વાત કરી હતી અને કુંભને પ્રતિકાત્મક કરવાની વાત કહી હતી. 13 માંથી 12 અખારોએ તેમના વતી કુંભ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, હવે લોકોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.

અમિત શાહે કહ્યું કે, જે રાજ્યોમાં વિદેશથી લોકોની અવરજવર વધુ હોય છે, ત્યાં કોરોનાનો ઝડપથી પ્રસાર થયો છે. એવા રાજ્યોમાં જ્યાં કુંભ અથવા ચૂંટણી નથી ત્યાં પણ કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે.

કોરોનાની નવી લહેરને કારણે સર્વત્ર પરિસ્થિતિ વધુ વણસી

ચાલો તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે અને નવીનતમ લહેર દરેક રેકોર્ડને તોડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 2 લાખથી વધુ કેસ ભારતમાં આવે છે, જે એક નવો રેકોર્ડ છે.

છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મોતની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હાલમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગ, ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે.

આ પણ વાંચો: ના મોતથી બચાવે છે અને ના વેન્ટિલેટરનું જોખમ ઘટાડે છે, તો પછી ભારતમાં રેમડેસિવિર માટે કેમ હાહાકાર?

g clip-path="url(#clip0_868_265)">