Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: અમિત શાહ આજે 20 જિલ્લાઓનો ‘ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ’ કરશે જાહેર

જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ વિકાસના મહાનિર્દેશક સૌરભ ભગત કહે છે કે, તમામ વીસ જિલ્લાઓનો જિલ્લા સુશાસન સૂચકાંક જિલ્લાઓમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વીજળી, પીવાનું પાણી, ગુના સહિત દસ મુદ્દાઓ પર આધારિત છે.

Jammu Kashmir: અમિત શાહ આજે 20 જિલ્લાઓનો 'ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ' કરશે જાહેર
amit shah announced the 'Good Governance Index' ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:20 AM

Jammu Kashmir: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah)શનિવાર, 22 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં જિલ્લા સુશાસન સૂચકાંક બહાર પાડશે. જમ્મુ અને કાશ્મીર તમામ 20 જિલ્લાઓ માટે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (Good governance index)જાહેર કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ હશે.

ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું આ મોડલ પાછળથી અન્ય રાજ્યોમાં પણ અપનાવી શકાય છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય સચિવ ડૉ. અરુણ કુમાર મહેતા, ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના અધિકારીઓ અને વહીવટી સચિવ અને રાજ્યના વિભાગના વડાની હાજરીમાં જમ્મુ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. તમામ વીસ જિલ્લાઓ માટે ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ બહાર પાડવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ અને ગ્રામીણ વિકાસના મહાનિર્દેશક સૌરભ ભગતના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશમાં જિલ્લા સુશાસન સૂચકાંકના મામલે જમ્મુ અને કાશ્મીરની પહેલને બહાર પાડશે. તેમનું કહેવું છે કે, રાજ્યના તમામ 20 જિલ્લાઓનો જિલ્લા સુશાસન સૂચકાંક આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વીજળી, પીવાનું પાણી, જિલ્લાઓમાં ગુનાખોરી સહિતના દસ મુદ્દાઓ પર આધારિત છે. જિલ્લા સુશાસન ઇન્ડેક્સમાં તમામ જિલ્લાઓની સ્થિતિ દર્શાવવામાં આવશે. નિમ્ન ક્રમાંક ધરાવતા જિલ્લાઓમાં ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સને સુધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

જમ્મુ કન્વેન્શન સેન્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી

કમિશનર સચિવ, સામાન્ય વહીવટી વિભાગ, મનોજ કુમાર દ્વિવેદીએ આદેશ જાહેર કરીને જમ્મુમાં હાજર તમામ વહીવટી સચિવોને જિલ્લા સુશાસન સૂચકાંકના વિમોચન કાર્યક્રમમાં સવારે 9.30 કલાકે જમ્મુ કન્વેન્શન સેન્ટરમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. . શ્રીનગરમાં હાજર વહીવટી સચિવ અને વિભાગીય કમિશનર કાશ્મીરને વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. ડિવિઝનલ કમિશનર જમ્મુ, જિલ્લા ડેપ્યુટી કમિશનર જમ્મુ, સાંબા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર અને અન્ય સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. અધિક સચિવ સ્તરના અધિકારીઓ અને તમામ વિભાગોના વડાઓને પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ગયા મહિને ‘ગુડ ગવર્નન્સ વીક’ દરમિયાન કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી વિવિધ સુશાસન પહેલોને પ્રકાશિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનની મુખ્ય થીમ ગ્રામીણ વિસ્તારોમાં સુશાસનને લઈ જવાની હતી. DARPGએ કહ્યું હતું કે ‘ગુડ ગવર્નન્સ વીક’ 25 ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘ગુડ ગવર્નન્સ ડે’ની ઉજવણી સાથે સમાપ્ત થશે. રાજ્યકક્ષાના મંત્રી કર્મચારી જિતેન્દ્ર સિંહ ‘ગુડ ગવર્નન્સ વીક’ ના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હતા. મંત્રીએ ગુડ ગવર્નન્સ વીક પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : Omicron Variant: ચીનથી લઈને બ્રાઝિલ સુધી, લેટિન અમેરિકા અને એશિયામાં ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી

આ પણ વાંચો : Budget 2022: સામાન્ય બજેટથી કૃષિ ક્ષેત્રને આ છે અપેક્ષાઓ, સરકાર ધ્યાન આપે તો બદલાઈ શકે છે પરિસ્થિતિ

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
g clip-path="url(#clip0_868_265)">