દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહને મૂળ વતન પિરામણ લવાશે, માતાપિતાની કબરની બાજુમાં થશે દફનવિધી
દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધી તેમના મૂળ વતન પિરામણ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને મૂળ વતન લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે સાંજે દિલ્લી એઇમ્સથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ હવાઇ માર્ગે ભરૂચમાં તેના મૂળ વતન પિરામણમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, અહેમદ પટેલની અંતિમ ઇચ્છા […]
દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધી તેમના મૂળ વતન પિરામણ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને મૂળ વતન લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે સાંજે દિલ્લી એઇમ્સથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ હવાઇ માર્ગે ભરૂચમાં તેના મૂળ વતન પિરામણમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ તેમના માતા-પિતાની કબરની બાજુમાં થાય. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો