કૃષિ કાયદાએ ફરી એકવાર ભારતીય રાજકારણના ત્રણ નિયમોને સાચા સાબિત કર્યા

સરકાર પોતાના નિર્ણયથી પાછળ નહીં હટે તે લગભગ નિશ્ચિત હતું. છેવટે, 15 મહિના સુધી તેમના સ્ટેન્ડને વળગી રહ્યા પછી કોણ પગલુ પાછું ભરે છે? બીજી વાત એ છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબના ભાગો સિવાય, મોટાભાગના સ્થળોએ વિરોધનો અંત આવ્યો હતો.

કૃષિ કાયદાએ ફરી એકવાર ભારતીય રાજકારણના ત્રણ નિયમોને સાચા સાબિત કર્યા
Farmer Protest(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:27 PM

લેખક-સંદીપન શર્મા

ભારતીય લોકશાહી (Indian democracy)ના નિયમો એવા લાગે છે જાણે આઈઝેક ન્યુટન (Isaac Newton)ના ગતિના નિયમો (Rules of motion)થી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યા હોય, જે થોડા નાના ફેરફારો સાથે ભાજપ(BJP)ની ચૂંટણીની રાજનીતિ(Election politics)ને અનુરૂપ નજર આવે છે. પ્રથમ નિયમ ખૂબ જ સરળ છે: બાહ્ય દળો લાદવા છતાં આ દેશમાં વસ્તુઓ તેમની જગ્યાએથી ખસતી નથી. કેમ કે અહી જ બીજો નિયમ પણ મહત્વપૂર્ણ બની જાય છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

હકીકતમાં, ભારતીય રાજકારણની જડતા ત્યારે જ તૂટી જાય છે જ્યારે યોગ્ય લોકો યોગ્ય સમયે બળનો ઉપયોગ કરે છે. ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાનો નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય આ બે નિયમોનું ઉત્તમ ઉદાહરણ છે. લગભગ 15 મહિના સુધી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરના તેના સ્ટેન્ડ પરથી પીછેહઠ કરવાનો ઈનકાર કર્યો હતો, જેનો ઓછામાં ઓછા બે રાજ્યોમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા.

આ દરમિયાન ઘણા અવરોધો આવ્યા, હિંસા થઈ, ડઝનબંધ ખેડૂતોએ જીવ ગુમાવ્યા અને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી, પરંતુ સરકારે કૃષિ કાયદાને રદ કરવાનો ઈનકાર કર્યો. તે સમયે સરકારે ત્યાં સુધી કહ્યું હતું કે આ કાયદાઓ કૃષિ ક્ષેત્રના સુધારણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાના ખેડૂતોને તેમના પાકને સારી કિંમતે વેચવામાં મદદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આના આધારે સરકારે ઓછામાં ઓછી ધારણાની લડાઈ જીતી લીધી હતી. કેટલાક અપવાદોને બાદ કરતાં તો મીડિયાએ પણ ખેડૂતોને હઠીલા, પરાજિત, ખાલિસ્તાનીઓની નજીક અને દેશદ્રોહી પણ ગણાવ્યા હતા. તે જ સમયે દેશનો મધ્યમ વર્ગ, જે ભાજપનો કટ્ટર સમર્થક છે, તેઓ સરકારના વિરોધ માટે રસ્તાઓ રોકનારા ખેડૂતોની સામે ઊભો રહ્યો અને તેમને અરાજકતાવાદી ગણાવ્યા.

સરકાર પોતાના નિર્ણયથી પાછળ નહીં હટે તે લગભગ નિશ્ચિત હતું. છેવટે, 15 મહિના સુધી તેમના સ્ટેન્ડને વળગી રહ્યા પછી કોણ પગલુ પાછું ભરે છે? બીજી વાત એ છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબના ભાગો સિવાય મોટા ભાગના સ્થળોએ વિરોધનો અંત આવ્યો હતો.

પરંતુ, જ્યારે દરેકને આશા હતી કે સમગ્ર દેશમાં ખેડૂતોનો વિરોધ સમાપ્ત થશે, ત્યારે સરકારે અચાનક કૃષિ કાયદો પાછો ખેંચી લેવા સંમતિ આપી. તેનું સૌથી મહત્ત્વનું કારણ ભારતીય રાજકારણનો બીજો નિયમ છે. વાસ્તવમાં વસ્તુઓ ત્યારે જ બદલાય છે જ્યારે યોગ્ય સમયે અને યોગ્ય લોકો દ્વારા તેના હેઠળ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવે છે. એક મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા આ યોગ્ય સમય છે.

સત્તા પર નજર રાખનારાઓએ ભારતીય રાજકીય ક્ષેત્રમાં બે ઘટનાઓ નોંધી હશે. વિવિધ રાજ્યો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણી દરમિયાન ભાજપને આંચકો લાગ્યો હતો. કારણ કે જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે ચારેય મતવિસ્તારોમાં પાર્ટીની હાર થઈ હતી. બીજી ઘટના એ છે કે પ્રી-પોલ સર્વેમાં કેટલાક નિષ્ણાતોએ ભાજપની બેઠકોમાં સતત ઘટાડો થવાની આગાહી કરી હતી.

સી-વોટર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્વેમાં સંકેત આપવામાં આવ્યો છે કે 2017ની સરખામણીમાં ભાજપ ઉત્તરપ્રદેશમાં ઓછામાં ઓછી 100 બેઠકો ગુમાવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ બંને ઘટનાઓએ ભાજપને ચેતવ્યું અને ભારતીય રાજકારણનો બીજો નિયમ લાગુ કરવામાં આવ્યો.

હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય છે, જે ખાસ ભાજપ માટે બનાવવામાં આવ્યું છે. અહીં લઘુમતીઓની સંખ્યા ઘણી ઓછી છે. વાસ્તવમાં આ રાજ્યમાં 95 ટકા વસ્તી હિન્દુ છે. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને મુખ્યત્વે ઉચ્ચ જાતિના લોકોનો સમાવેશ થાય છે. આ રાજ્યમાં પેટાચૂંટણીમાં 0-4ની હારથી ભાજપ માટે સ્પષ્ટ થઈ ગયું છે કે વધતા ભાવને કારણે મતદારો પાર્ટીથી ખુશ નથી. આ કારણોસર સરકારે તરત જ તેલની કિંમતો પાછી ખેંચી લીધી, જે મતદારોના ગુસ્સાનું સૌથી મહત્વનું કારણ હતું.

ભાજપને શ્રેય આપવો જોઈએ કે તે પોતાના અહંકારને રાજકારણમાં આગળ રાખતી નથી. જ્યારે મતો દાવ પર હોય છે, ત્યારે પાર્ટી જાણે છે કે કેવી રીતે પીછેહઠ કરવી. મતદારોને ખુશ કરવા માટે કેવી રીતે યુ-ટર્ન લેવો અને ઘૂંટણીયે બેસી જવું. ભાજપ ખૂબ જ સરળતાથી પોતાના ઘમંડને નમ્રતામાં બદલી શકે છે.

આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૃષિ કાયદાઓ પરના ગુસ્સાના ભયે પાર્ટીને તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પાડી. આ કારણોસર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો. સરકારે જાહેરમાં સ્વીકાર્યું કે ખેડૂતો અંગેના તેના કેટલાક નિર્ણયો સારા ન હતા અને તે કાયદાને રદ કરીને તેમના નિર્ણયને માન આપવા તૈયાર છે.

ભાજપની મુખ્ય ચિંતા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હોવી જોઈએ, જ્યાં જાટ-મુસ્લિમો અને કેટલાક અન્ય ખેડૂતો પાર્ટી માટે ખતરારૂપ હતા. આ પ્રદેશના ચાર મહત્વના વિસ્તારોમાં વિધાનસભાની 130 બેઠકો છે. 2017માં મુસ્લિમોની મજબૂત હાજરી હોવા છતાં ભાજપે આમાંથી 70 બેઠકો જીતી હતી. આ પ્રદેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપને નુકસાનની આશંકા હતી, જેની ભરપાઈ થઈ શકે તેમ નથી.

ભાજપ માટે બીજો માથાનો દુખાવો પંજાબ છે. પાર્ટીએ અહીં ગુમાવવાનું કંઈ નથી, કારણ કે તે અહીં ખૂબ જ મામૂલી ખેલાડી છે. જો કે ઓપિનિયન પોલમાં રાજ્યના લોકોનું સમર્થન કોંગ્રેસની તરફેણમાં જણાવવામાં આવ્યું હતું, જે ભાજપને ગમ્યું ન હતું.

ભાજપે ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરીને યુપી અને પંજાબ બંને રાજ્યોમાં પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપને આશા છે કે આ પગલાથી પશ્ચિમ યુપીના લોકોનો ગુસ્સો ઓછો થશે અને તેના મતદારો ફરીથી પાર્ટીના સમર્થનમાં આવશે. બીજી બાજુ પંજાબમાં પાર્ટીને આશા છે કે નવા સાથી કેપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસને સત્તામાંથી બહાર કરવા માટે પૂરતા મતદારો એકત્ર કરી શકશે.

ભાજપનો આ યુ-ટર્ન આખરે માનવશક્તિનું પ્રતિક છે. ઉતાર-ચઢાવનું આ પગલું આપણને યાદ અપાવે છે કે લોકશાહીમાં વાસ્તવિક સત્તા મતદારોના હાથમાં હોય છે. પરંતુ, આ પગલું રાજકારણના કેટલાક અન્ય પાસાઓ તરફ પણ નિર્દેશ કરે છે.

પહેલું એ છે કે આવા મહત્ત્વના નિર્ણયો ભલે ગમે તેટલા સામાજિક અને આર્થિક તર્ક હોય, ચૂંટણીની મજબૂરીઓને કારણે પડી ભાંગે છે. તેથી સામાજિક કે આર્થિક સુધારા ત્યારે જ શક્ય છે જ્યારે તેની પાછળ રાજકીય લાભ હોય. બીજું એ છે કે આજે ભારતમાં શું ખોટું અને શું સાચું છે તેના આધારે રાજકીય નિર્ણયો ભાગ્યે જ લેવામાં આવે છે. સૌથી અગત્યનું તે યોગ્ય લોકો (એટલે ​​કે મતદાર આધાર) માટે સ્વીકાર્ય છે કે નહીં?

ખરેખર, સરકારો એવા જૂથોના વિરોધને સહેલાઈથી ફગાવી દે છે જે ચૂંટણીલક્ષી મહત્વના નથી. જેમ કે અલ્પસંખ્યકો, વિદ્યાર્થીઓ અને કાશ્મીરીઓ, ભલે તેમણે સમાનતા, ન્યાય અને બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો પર તેમની માંગણીઓ રજૂ કરી હોય.

અહીં ભારતીય રાજકારણનો ત્રીજો નિયમ લાગુ પડે છે. આવા કિસ્સાઓમાં તમામ જાહેર કાર્યવાહી અને વિરોધને સરકાર તરફથી સમાન પ્રતિસાદ મળતો નથી. કેટલાક જૂથો – જેમ કે ખેડૂતો – બાકીના કરતા અલગ છે, જેમની આગળ સરકાર નમવા તૈયાર છે. તે જ સમયે, તેમનાથી ઓછા લોકો રાજકારણના પ્રથમ કાયદાનો શિકાર બને છે.

આ પણ વાંચોઃ IND vs NZ: હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે અપાઇ તક, ઇજાને લઇને બહાર થયેલા સિરાજના સ્થાને મળ્યો ડેબ્યૂનો મોકો

આ પણ વાંચોઃ Tim Paine: ટિમ પેનની ગંદી હરકત જાહેર થવા બાદ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી રહ્યુ છે સમર્થન! યુવતીને અશ્લીલ તસ્વીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">